Biodata Maker

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધ્યા, કોવિડ 19 સંક્રમિતો સંખ્યા 493 થઇ

Webdunia
રવિવાર, 12 એપ્રિલ 2020 (16:26 IST)
ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ 23 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કોવિડ-19 રોગીઓની સંખ્યા વધીને 493 થઇ ગઇ છે. તો બીજી તરફ ત્રણ સંક્રમિતોના મોતની સાથે ગુજરાતમાં તેનાથી મૃતકોની સંખ્યા 23 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે શનિવારે 72 કેસ નોંધાયા હતા જ્યારે આજે સવાએ 23 નવા કેસ નોંધ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 61 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 116 કેસ પેન્ડીંગ છે. 
 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી શનિવારે બે અને રવિવારે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે જેથી ગુજરાતમાં સંક્રમણથી મરનારાઓની સંખ્યા 23 પહોંચી ગઇ છે. તેમણે જણાવ્યું કે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 44 થઇ ગઇ છે. ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 422 દર્દીઓ સ્ટેબલ છે. 
 
જયંતિ રવિએ જણાવ્યું હતું અમદાવાદ કોરોના સંકમિતોની સંખ્યા 266 થઇ ગઇ જ્યારે મૃતકોની સંખ્યા 11 થઇ ગઇ છે. વડોદરામાં 95 કેસ પોઝિટિવ 2ના મોત, ભાવનગરમાં 23 કેસ પોઝિટિવ, 2ના મોત, જ્યારે પાટણમાં સંક્રમિતોની સંખ્યા 14 જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સુરતમાં 18 કેસ પોઝિટિવ છે જ્યારે 4 લોકોના મોત થયા છે. ગાંધીનગર 15 પોઝિટિવ 1નું મોત નિપજ્યું છે. રાજકોટ 18 કેસ પોઝિટિવ, કચ્છ 4, છોટા ઉદેપુર 3, જામનગર 1, મોરબી 1, સાબરકાંઠા 1, આણંદ 7, દાહોદ 1, ભરૂચ 8, પંચમહાલ 1, પોરબંદર 3, ગીર સોમનાથ 2, મહેસાણા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.  
 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હોટપોસ્ટ સિવાય ના વિસ્તારોમાં પણ ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના 14 જિલ્લામાં એક પણ કેસ નોધાયો નથી ત્યાં પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

આગળનો લેખ
Show comments