Publish Date: Sat, 11 Apr 2020 (15:45 IST)
Updated Date: Sat, 11 Apr 2020 (15:48 IST)
Lockdown નવી દિલ્હી ભારતમાં લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી વધી શકે છે. જોકે આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે વડા પ્રધાને લોકડાઉન વધારવાનો સાચો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધીમાં લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી હતી.
એએનઆઈએ પણ સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યો છે કે શનિવારે વડા પ્રધાન સાથેની બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે.