Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી 14 દિવસમાં 2200 વિદેશી મુસાફરો સ્વદેશ પહોંચશે

Webdunia
મંગળવાર, 21 એપ્રિલ 2020 (14:08 IST)
કોરોનાના કેરને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટને સોમવારથી ચાર્ટર ફ્લાઇટના બીજા રાઉન્ડનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૃપે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૨૭૦ મુસાફરો લંડન જવા માટે રવાના થયા હતા. અગાઉ ગત સપ્તાહે અમદાવાદથીન ૩ ચાર્ટર ફ્લાઇટમાં ૮૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોને લંડન મોકલવામાં આવ્યા હતા. હવે આજથી વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૩ઃ૩૦ના અમદાવાદથી લંડન માટે ફ્લાઇટ રવાના થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચનારા તમામ બ્રિટિશ નાગરિકોનું સૌપ્રથમ  હેલ્થ ચેક અપ કરાયું હતું અને ત્યારબાદ જ તેમને સિક્યુરિટી ચેક સહિતની પ્રક્રિયામાં મોકલવામાં આવ્યા હતા. હજુ ૨૨,૨૪,૨૬ એપ્રિલના અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ જશે. ૨૩ એપ્રિલે બેંગાલુરુથી વાયા અમદાવાદ થઇને આ ફ્લાઇટ લંડન પહોંચશે. ૨૨ એપ્રિલે ઈજિપ્ત એરવેઝની ફ્લાઇટમાં બ્રિટિશ મુસાફરોને અમદાવાદથી લંડન લઇ જવામાં આવી શકે છે. ગત સપ્તાહે અમદાવાદથી અમેરિકાના ૧૬૦ નાગરિકોને પણ સ્વદેશ મોકલાયા હતા. આમ, હવે૧૩થી ૨૬ એપ્રિલ દરમિયાન  ૨૨૦૦ જેટલા વિદેશી મુસાફરોને સ્વદેશ મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments