Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 પરપ્રાંતિઓને બસમાં ઠસોઠસ ભરીને તંત્રએ જ નિયમો તોડ્યાં

Webdunia
બુધવાર, 6 મે 2020 (13:59 IST)
વડોદરા શહેરમાં એસ.ટી. બસમાં 40થી 50 જેટલા પરપ્રાંતીયોને બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતા. એક સીટમાં 3 લોકોને બેસડીને વડોદરા જિલ્લા તંત્રએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા.  વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પરપ્રાંતીયોને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે પણ વડોદરા, ડભોઇ અને વાઘોડિયામાં રહેતા 1200 પરપ્રાંતીયોને લઇને વડોદરાથી લખનઉ જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જોકે પરપ્રાંતીયોને રેલવે સ્ટેશન બસ લઇ જવાયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. એસ.ટી, બસમાં 40થી 50 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. એક સીટ પર 3-3 લોકો બેઠા હતા. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. વડોદરા જિલ્લા તંત્રના અણઘડ આયોજનથી કોરોના વાઈરસ ફેલાવાયો ભય છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને સુરક્ષા, તકેદારી અને સુવિધા સાથે એમના વતન રાજ્યમાં મોકલવાની વાતો થાય છે અને બીજી તરફ પરપ્રાંતીયો તેમના વતન મોકલતી વખતે સોશિયલ ડિન્સન્સિંગ ન જાળવીને તંત્ર સુરક્ષા અને તકેદારી બાબતે ગંભીર ન હોવાનું જણાઇ રહ્યું છે. 
 

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments