Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરાવ જાન, કભી કભી જેવી હિટ ફિલ્મોના જાણીતા સંગીતકાર Khayyamનું નિધન

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (08:09 IST)
જાણીતા સંગીતકાર ખૈય્યામનુ સોમવારે મુંબઈના સુજૉય હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેમના મોતનુ કારણ કાર્ડિએક અરેસ્ટ બતાવાય રહ્યુ છે. ખૈય્યામ 92 વર્ષના હત. તેમની તબીયત ખરાબ હોવાને કારણે કેટલાક દિવસ પહેલા હોસ્પિતલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમને આઈસીયુમાં હોવુ અને હાલત નાજુક હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી.  માહિતી મુજબ તે ગંભીર ફેફ્સાના ઈંફેક્શનનો સામનો કરી રહ્યા હતા 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાત્રે લગભગ 9.30 કલાકે તેમને કાર્ડિએક અરેસ્ટ આવ્યો. ડોક્ટર તેમને બચાવી શક્યા નહી.  ફેફ્સા ઈંફેક્શન અને વધુ વયને કારને તેમનુ શરીર ખૂબ નબળુ થઈ ચુક્યુ હતુ. તે 21 દિવસથી હોસ્પ્ટલમાં દાખલ હતા. 
 
લતા મંગેશકરે પણ મહાન સંગીતકારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરી પોતાની ભાવનાઓ જાહેર કરી અને સંગીતકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.  તેમણે ટ્વીટ કર્યુ.  મહાન સંગીતકાર અને ખૂબ જ સારા દિલના ખૈય્યામ સાહેબ આજે અમારી વચ્ચે નથી. આ સાંભળીને મને એટલુ દુખ થયુ છે જે હુ બતાવી નથી શકતી. ખૈય્યામ સાહેબ સાથે સંગીતના એક યુગનો અંત આવ્યો છે. હુ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ. 
<

Mahan sangeetkar Aur bahut nek dil insan Khayyam sahab aaj humare bich nahi rahe. Ye sunkar mujhe itna dukh hua hai jo main bayaa’n nahi kar sakti.Khayyam sahab ke saath sangeet ke ek yug ka anth hua hai.Main unko vinamra shraddhanjali arpan karti hun. pic.twitter.com/8d1iAM2BPd

— Lata Mangeshkar (@mangeshkarlata) August 19, 2019 >
 
ખૈય્યામે અનેક હિટ ફિલ્મો જેવી કે કભી-કભી અને ઉમરાવ જાન માટે મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ. આ મુવીજના ગીત એવરગ્રીન માનવામાં આવે છે. મોહમ્મદ જહર ખૈય્યામ હાશમીએ સંગીતની દુનિયામાં પોતાની યાત્રા 17 વર્ષની વયમાં લુધિયાણાથી શરૂ કરી હતી.  તેમને પોતાના કેરિયરની પ્રથમ મેજર બ્રેક બ્લૉકબસ્ટર મુવી ઉમરાવ જાન થી મળી હતી.  જેના ગીત આજે પણ ઈડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં સ્થાન બનાવેલ છે. 
 
ખૈયાયમેન આ ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીત માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેયર એવોર્ડ સાથે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 
સંગીતકાર ખૈય્યામના નૉન-ફિલ્મી ગીતોને પ્ણ ફેંસ ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને પાવ પડે તોરે શ્યામ, વૃજ મે લૉટ ચલો અને ગઝબ કિયા તેરે વાદે પર એતબાર કિયા તેમણે મીના કુમારીની એલ્બમ જેમા એક્ટ્રેસે કવિતાઓ ગાઈ હતી એ માટે પણ મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments