Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ

Sushma swaraj death
, બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:39 IST)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સફળ ત્રણ વર્ષની ઉજવણી કરવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના પગલે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત સરકારે મોડીરાત્રે કરી હતી.
પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના કારણે ગુજરાત રાજય સરકારે રૂપાણી સરકારના ત્રણ વર્ષની સફળ કામગીરી સંદર્ભે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મહાત્મા મંદિરે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને મતની મોકળાશ કાર્યક્રમની ઉજવણી રદ કરવામાં આવી છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ત્રણ વર્ષની સફળ કામગીરીની ઉજવણીના તમામ કાર્યક્રમો મોડીરાત્રે રદ દીધાની તમામ સરકારી ખાતાને જાણ કરી હતી. જીલ્લા મથકોએ પણ આવી ઉજવણીના કેટલાક કાર્યક્રમો યોજાવાના હતા તે પણ રદ કરી દેવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બે કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાર ચાલકની હાલત ગંભીર