Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેતા Ajay Devgnના પિતા વીરુ દેવગનનું નિધન, આજે જ મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર

Webdunia
સોમવાર, 27 મે 2019 (16:43 IST)
ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા અને સ્ટંટ માસ્ટર વીરુ દેવગનનું મુંબઈમાં નિધન થઈ ગયુ છે.  વીરુ દેવગન એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા. તેણે અનેક સુપરહિટ ફિલ્મોના સ્ટંટ કોરિયગ્રાફ કર્યા હતા. આ માટે તેમને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા.  
 
ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગને આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો.  તેમની તબિયત ખૂબ સમયથી ખરાબ ચાલી રહી હતી. મુંબઈમાં 27 મે 19ના રોજ તેમણે  આ દુનિયાને અલવિદા કહ્યુ.  વીરુ જાણીતા સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર હતા. તેમને લગભગ 80થી વધુ ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફ કરવાનુ કામ કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ. 
 
સન 1957માં 14 વર્ષના વીરુ દેવગન બોલીવુડમાં ઘુસવાની ઈચ્છા સાથે અમૃતસરમાં પોતાના ઘરેથી ભાગી ગયા. ટિકિટ વગર  મુંબઈ જવા માટે ફ્રંટિયર મેલ પકડી લીધી અને ટિકિટ ન લેતા પકડાઈ જતા મિત્રો સાથે અઠવાડિયુ જેલમાં રહ્યા હતા. બહાર નીકળતા મુંબઈ શહેર અને ભૂખે તેમને તોડી નાખ્યા હતા. જ્યા તેમની સાથે આવેલ કેટલાક મિત્રો નિરાશ થઈને અમૃતસર પરત ગયા પણ વીરુ દેવગન ન ગયા. તેઓ ટેક્સિયો ધોવા માંડ્યા અને કારપેંટરનુ કામ કરવા માંડ્યા.  હિમંત આવતા ફિલ્મ સ્ટુડિયોઝના ચક્કર કાપવા માંડ્યા. તેમને હીરો બનવુ હતુ પણ તેમણે જલ્દી જ સમજાય ગયુ કે હિન્દી ફિલ્મોમાં જે ચોકલેટી હીરો અને અભિનેતા બનેલા છે તેમની સામે તેમનો કોઈ ચાંસ નથી. 
 
વીરુ દેવગને પોતાના પુત્ર અજય દેવગનને હીરો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે.  તેમણે ઓછી વયથી જ ફિલ્મમેકિંગ અને કેશન સાથે જોડ્યા. તેઓ આ બધુ અજયના હાથે જ કરાવતા હતા.  કોલેજ ગયા તો તેમને માટે ડાંસ ક્લાસેજ શરૂ કરાવ્યા. ઘરમાં જ જીમ બનાવડાવ્યુ. હોર્સ રાઈડિંગ શિખવાડી અને પછી તેમને પોતાની ફિલ્મોની એક્સહ્ન ટીમો ભાગ બનાવવા લાગ્યા. તેમને બતાવવા લાગ્યા કે સેટનુ વાતાવરણ કેવુ હોય છે.  જેને કારણે અજય ફિલ્મમેકિંગને લઈને સક્ષમ થઈ શક્યા છે. 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments