Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્યન ખાનની કબૂલાત, શાહરૂખ ખાનના પુત્રએ ડ્રગ્સ લેવાની વાત કબૂલી, NCBને જણાવ્યુ - હુ ચરસ લઉ છુ

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (12:09 IST)
ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના સંબંધમાં ધરપકડ કરાયેલ આર્યન ખાન જેલમાં છે. શુક્રવારે ફોર્ટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ હવે આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. દરમિયાન જાણવા મળ્યું છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટે  NCBની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે. આર્યને કહ્યું છે કે તે ચરસ પીવે છે અને ક્રૂઝ પાર્ટી દરમિયાન ચરસ પણ લેવાનો હતો. NCB એ કોર્ટમાં આપેલા પંચનામામાં જણાવ્યું છે કે સર્ચ દરમિયાન અરબાઝે જૂતામાંથી ડ્રગ્સનું પાઉચ કાઢી નાખ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું.
 
કાર્યવાહી પહેલા NCB એ NDPSની ધારાઓ બતાવી 
પંચનામા અનુસાર NCB અધિકારી આશિષ રંજન પ્રસાદે આર્યન અને અરબાઝને પૂછપરછ કરવાનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રસાદે બંનેને NDPS એક્ટની કલમ-50 વિશે સમજાવ્યું.  NCB એ આર્યન અને અરબાઝને વિકલ્પ પણ આપ્યો કે જો તેઓ ઈચ્છે તો તેમની ચકાસણી ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટની સામે લઈ શકાય છે, પરંતુ બંનેએ ના પાડી દીધી. 
 
આર્યન અને અરબાજે ડ્રગ્સ લેવાની વાત માની 
 
પંચનામા મુજબ, તપાસ અધિકારીએ આર્યન અને અરબાઝને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ પ્રકારની નારકોટિક્સ ડ્રગ્સ છે ?  જવાબમાં બંનેએ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની વાત કબૂલ કરી. NCBના અધિકારીઓને જણાવ્યુ કે તેમના જૂતામાં ચરસ છે.  ત્યારબાદ અરબાઝે પોતાના પગરખાંમાં મુકેલી એક  ઝિપ લોક પાઉચને પોતે જ કાઢીને આપી દીધી. 
 
બંનેયે પાઉચની અંદર કાળા રંગના ચિપચિપા પદાર્થ હતો. ડીડી કિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી તો ચોખવટ કરી કે ચરસ છે. પંચનામાના મુજબ અરબાજે માન્યુ કે તે આર્યન સાથે ચરસનુ સેવન કરે છે અને તે આ ક્રૂઝ યાત્રામા ધમાલ કરવા માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ  જયારે આર્યન ખાનની પૂછપરછ કરવામાં આવી તો તેણે પણ કબૂલ કર્યુ કે આ ચરસ ક્રૂઝ પર યાત્રા દરમિયાન સ્મોકિંગ માટે હતી. 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments