Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sikkim Clashes: નાકૂ લા માં ચીની સૈનિકોની ઘુસપેઠની કોશિશ, ભારતીય સૈનિકો સાથેની ઝડપમાં 20 ચીની સૈનિકો ઘાયલ

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (12:26 IST)
. પૂર્વ લદ્દાખથી દૂર, ચીને હવે અન્ય ક્ષેત્રોમાં પણ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે ચીની સૈનિકોએ સિક્કિમના નાકુ લામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષે ઘર્ષણ થયું હતું. બંને પક્ષના સૈનિકોને ઈજાઓ પહોંચી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ સમગ્ર અથડામણમાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. નાકુ લા સેક્ટર ઉત્તર સિક્કિમના મુગુથાંગ દર્રાનીઆગળ છે. આશરે 19,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત ચાઇના આ ક્ષેત્રને વિવાદિત માને છે. આટકી ઉંચાઇએ આવી ભીષણ ઠંડીમાં આવી ઘટના બતાવે છે કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર બંને દેશો વચ્ચે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે એલએસી પર ભારતીય સૈનિકો કેટલા તૈયાર છે.
 
લદ્દાખમાં પણ સૈનિકોની સંખ્યા વધારી રહ્યુ છે ચીન 
પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તનાવને લઈને રવિવારે બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની નવમા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી.  15 કલાક લાંબી વાટાઘાટમાં ભારતે ભાર મૂક્યો છે કે સંઘર્ષના ક્ષેત્રોમાં ડિસએંન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયા આગળ વધારવી તે ચીન પર છે.
જો કે, મંત્રણામાંથી હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. LAC તરફથી બંને તરફ મોટી સંખ્યામાં સૈનિકો  ગોઠવાયેલા છે. તાજેતરના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વાટાઘાટામાં સહમત કરાર હોવા છતાં ચીન લદ્દાખમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.
 
વિવાદની શરૂઆત આ રીતે થાય છે
ભારત-ચીન સરહદ પર સૈનિકો વારંવાર સામ સામે આવે છે. ઘણી વાર અથડામણ થાય છે પરંતુ શસ્ત્રોનો ઉપયોગ થતો નથી. ગયા વર્ષે જ્યારે સિક્કિમ અને પૂર્વ લદ્દાખમાં વિવાદ થયો હતો ત્યારે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.  તે સમયે  એક વિડિઓ બહાર આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
 
ડોકલામમાં થઈ ચુક્યો છે લાંબો વિવાદ 
 
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે એપ્રિલ-મે મહિનાથી ગતિરોધ ચાલુ છે. સિક્કિમ ક્ષેત્રની વાત કરીએ તો, અહીં 2017 માં, ડોકલામ ટ્રાઇ-જંકશન પર 73 દિવસ સુધી તનાવની સ્થિતિ રહી ચુકી છે. તે સમયે તણાવ એટલો વધી ગયો હતો કે યુદ્ધની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ પછી 2020 માં નાકુ લા પાસ નજીક તીવ્ર અથડામણ થઈ હતી. તે પહેલાં 5 મે, 2020 ના રોજ લદ્દાખમાં, પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠે બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા.
 
કોઈ સમજૂતી માનતુ નથી ચીન 
 
2003 માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે એ સંમતિ બની હતી કે સિક્કિમ ભારતનુ છે અને ચીન તેના પર કોઈ દાવો નહી કરે.  બદલામાં ભારતે તિબ્બતને ચીનનો ભાગ માની લીધો હતો.  જઓ કે તેના એક વર્ષની અંદ જ જ ચીનના ઉપ-વિદેશ મંત્રીએ તત્કાલીન વિદેશ મંત્રીને કહ્યુ હતુ કે આ મુદ્દો હજુ ઉકેલાયો નથી. 1879 ની સિક્કિમ-તિબેટ સંધિમાં પણ સીમાંકન સંબંધિત સ્થિતિ સ્પષ્ટ છે. 1894 ના સિક્કિમ ગઝેટીઅર પણ નાકુ લાથી પસાર થતી સરહદનો ઉલ્લેખ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments