Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે
, સોમવાર, 25 જાન્યુઆરી 2021 (11:19 IST)
ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે. આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવશે. આ ઉપરાંત જરૂર પડે આર્થીક મદદ પણ કરવામાં આવશે. મહેમદાવાદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ અગાઉ લોકડાઉન દરમિયાન પણ કામગીરી કરવામાં આવી હતી. હવે દિકરીને દત્તક લેવાનો નિર્ણયને આવકાર મળ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, અમદાવાદમાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે