Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot News - રાજકોટમાં દિવ્ય દરબારના બે આયોજક ધીરેન્દ્ર શાસ્ત્રીને શુકન સ્વરૂપે સવા ફૂટની ચાંદીની ગદા આપશે

Webdunia
બુધવાર, 31 મે 2023 (12:37 IST)
Dhirendra Shastri in Rajkot
આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત બાદ રાજકોટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાયું શુકન તરીકે સવા ફૂટની ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટમાં આપવામાં આવનાર છે. રાજકોટના આયોજક હિરેનભાઈ હિરપરા અને વિજય વાંક દ્વારા ખાસ આ ચાંદીની ગદા તૈયાર કરી રાજકોટના સૌ આયોજક વતી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આ ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવનાર છે.

રાજકોટ બાગેશ્વર ધામ સમિતિના આયોજક વિજય વાંક અને હિરેન હિરપરા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ રૂપે ચાંદીની ગદા આપવામાં આવનાર છે. આજે વિજય વાંકે જણાવ્યું હતું કે, અમારા સાથી હિરેનભાઈ હિરપરા કે જેઓ વ્યવસાયે સોના ચાંદીના વેપારી છે તેઓએ મને આવીને તેમનો વિચાર રજુ કર્યો હતો તેમને કહ્યું કે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા આપવાનો વિચાર આવ્યો છે અને તુરંત તેમનો વિચાર સ્વીકાર કરી કહ્યું કે તમે બનાવી દો અડધો ખર્ચ હું પણ આપીશ.વધુમાં તેમને જણાવ્યું હતું કે, આજે આ સંપૂર્ણ ચાંદીની ગદા તૈયાર થઈને આવી ગઈ છે. એવું કહેવાય છે કે કોઈ પણ કાર્યમાં સવા શુકન માનવામાં આવે છે માટે અમે સવા ફૂટની ચાંદીની ગદા તૈયાર કરાવી છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવશે ત્યારે અમારી સમગ્ર આયોજન સમિતિ દ્વારા આ ગદા ભેટ રૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તારીખ 1 અને 2 જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાવવાનો છે જેને લઇ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments