Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં 22 વર્ષીય ડૉક્ટર અને સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (11:57 IST)
રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું તો સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું. હાલ મૃત્તકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
 
રાજકોટની ગોકુલ હોસ્પિટલના 22 વર્ષીય ડોકટર અવિનાશ વૈષ્ણવનું હાર્ટ એટેકથી મોત થયું છે. માત્ર 22 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી મોત થતા હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટના મોરબી રોડ પર ડી.કે. સ્કૂલ પાછળ સેટેલાઇટ ચોકમાં આવેલ ધારા એવન્યુમાં રહેતા ડો. અવિનાશ ગોરધનભાઈ વૈષ્ણવ શહેરની ગોકુલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટર્નશીપ પણ કરતા હતા.ડૉ. અવિનાશને

હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી રહેતી હોવાથી શનિવારે રાત્રે નાઈટ ડ્યુટી કરી ગઇકાલે સવારે 9 વાગ્યે ઘરે આવ્યા હતા અને ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી તે સુઈ ગયા હતા. સાંજે 7 વાગ્યે તેમને પિતા ગોરધનભાઇ ઉઠાડવા જતા ઉઠતા ન હોવાથી બેભાન થઈ ગયાનો ખ્યાલ આવતા પરિવારજનો દ્વારા તુરંત તેઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે તત્કાલ સારવાર કરી અવિનાશનું હૃદય ફરી ધબકતું કરવા મથામણ કરી હતી પરંતુ, તેમણે દમ તોડી દીધો હતો. તબીબ દ્વારા મૃત જાહેર કરાતા હોસ્પિટલ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments