Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (16:06 IST)
:દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોએ સામુહિક હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારના પતિએ પત્ની તથા ત્રણ માસુમ દીકરીઓને મીઠાઈમાં ઝેર ભેરવીને ખવડાવ્યું હતું. વહેલી સવારે ઘરમાંથી પાંચેય પરિવારજનોની લાશ મળતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 
 
મળતી માહિતી અનુસાર સૈફતભાઇ દુધિયાવાલા પોતાના પરિવાર સાથે દાહોદના સુજાઇબાગ વિસ્તારમાં આવેલા બેતુલ એપાર્ટમેન્ટ રહેતા હતા. સૈફતભાઈ ડિસ્પોઝેબલ ડીશનો છૂટક વેપાર કરતા હતા. આજે વહેલી સવારે સૈફતભાઈના પિતાએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. 
તેથી પિતાએ નજીકમાં રહેતી દીકરીને જાણ કરી હતી. જેથી સૈફતભાઈની બહેન સવારે 8 વાગ્યાની આસપાસ ભાઈ સૈફતના ઘરે આવ્યા હતા અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં ખોલ્યો ન હતો. જેથી આસપાસના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. આવામાં અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના પાંચેય સદસ્યોના મૃતદેહો જમીન પર પડ્યા હતા.   
 
એક જ પરિવારના પાંચ લોકોની આત્મહત્યાના બનાવ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસને જમીન પર પડેલા મૃતદેહો મળ્યા હતા. તો સાથે જ જમીન પર મીઠાઈનું ખાલી બોક્સ પણ પડ્યું હતું. જેથી પોલીસને શંકા છે કે, પરિવારે મીઠાઈમાં ઝેર ભેળવીને મોત વ્હાલુ કર્યું હતું. આ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 
મૃતકોના નામ
સૈફતભાઈ દુધિયાવાલા (ઉંમર 42 વર્ષ)
મહેઝબીન દુધિયાવાલા (ઉંમર 35 વર્ષ)
અરવા દુધિયાવાલા (ઉંમર 17 વર્ષ)
ઝેનલ દુધિયાવાલા (ઉંમર 16 વર્ષ)
હુસૈના દુધિયાવાલા (ઉંમર 7 વર્ષ)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments