Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશથી આવતા અમદાવાદીઓને ભાડેથી મળશે SOS ડિવાઈસ

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:57 IST)
શહેરમાં દિન-પ્રતિદિન ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવ બની રહ્યા છે,  ખાસ કરીને એકલાં રહેતાં વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ કરાય છે. દિવાળી અને ડિસેમ્બરમાં મોટા ભાગે વિદેશમાં વસતા ગુજરાતીઓ અમદાવાદ આવતા હોય છે. આ એનઆરઆઇ ગુજરાતીઓ અસલામતીનો અનુભવ ન કરે તે માટે શહેર પોલીસ અને સોમચંદ ડોસાભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા SOS ડિવાઇસ પૂરું પાડવામાં આવશે.  એકથી ત્રણ મહિના માટે એનઆરઆઇ ગુજરાતી આ SOS ડિવાઇસ પાસપોર્ટની કોપી અને ફોટોગ્રાફ આપી સીધા એરપોર્ટ પરથી જ મેળવી શકશે. અમુક રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવી નજીવું ભાડું ચૂકવી આ ડિવાઇસ કોઇ પણ એનઆરઆઇ વ્યક્તિ મેળવી શકશે. આ ડિવાઇસમાં મેડિકલ સુવિધા અને પોલીસની મદદના ઓપ્શન રાખવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એનઆરઆઇ માટે આ ડિવાઇસ ટૂંક સમયમાં લોન્ચ કરાશે. સમગ્ર ભારતમાં આ ડિવાઇસનો ઉપયોગ કરાશે. એક બટન દબાવતાં જ પોલીસની મદદ મેળવી શકાશે. નજીકના પોલીસ સ્ટેશનમાંથી પણ આ ડિવાઇસ મેળવી શકાશે. સુરક્ષા સેતુ અંતર્ગત લોકોની સુરક્ષા માટે તેમજ સિનિયર સિટીઝનની સુરક્ષાને લઇ ‘અભયદેવ ક્વચ પ્રોજેકટ’ હેઠળ ટ્રસ્ટ સાથે પોલીસ મળી આ કામગીરી હાથ ધરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments