Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના એક હજાર વેપારીઓના પાસપોર્ટ રદ થશે

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (14:59 IST)
અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ ઉપર મ્યુનિ. દ્વારા કરાયેલા અનેક કેસો છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યા છે. બીજી તરફ જેમના ઉપર કેસો છે તેવા વેપારીઓ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થતા જ નથી, છેલ્લે આવા ૧૦૦૦ જેટલા વેપારીઓની યાદી તૈયાર કરીને પાસપોર્ટ ઓથોરિટીને મોકલી આ તમામ વેપારીઓમાંથી જેમણે પાસપોર્ટ કઢાવ્યો હોય તે તાકીદની અસરથી રદ કરી દેવા જણાવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મીઠાઈ, ફરસાણ, ફૂડ પાર્લર, હોટેલ- રેસ્ટોરન્ટ, કરિયાણાના વેપારી, દૂધની ડેરીવાળા વગેરેને ત્યાંથી ખાદ્ય પદાર્થોના વર્ષો પહેલા નમૂના લેવાયા હતા જેમાં ભેળસેળ પકડાતા કોર્ટમાં પીએફએ- પ્રિવેન્શન ફુડ એડલ્ટેશન એક્ટ હેઠળ કેસો કરાયા હતા કેટલાકને કેદ અને દંડની સજા પણ જાહેર કરાઈ છે. ૧૫- ૧૫ વર્ષ થઈ જવા છતાં આ વેપારીઓ મળતા નથી કેટલાકને તો સમન્સ પણ બજતા નથી. આ સંદર્ભમાં હેલ્થ ખાતાએ છ પેજ ભરીને કોર્ટમાં હાજર થવાની જાહેરાત તમામના નામો સાથે કરી હતી. આમ છતાં આ વેપારીઓ કોર્ટમાં ફરક્યા પણ નથી અંતે કોર્ટે આ તમામના પાસપોર્ટ રદ કરવાની સૂચના પાસપોર્ટ ઓથોરિટીને આપતા આખા ય પ્રકરણમાં નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. કોર્ટમાં આવા ૭૦૦ કેસો ચાલે છે, જેમાં ૧૦૦૦ જેટલા આરોપીઓ છે જેમના અંગે પાસપોર્ટ ઓફિસને કોર્ટે જણાવ્યું છે કે, આ સાથે લીસ્ટ મોકલવામાં આવે છે તે તમામ આરોપીઓને કોર્ટે ફરારી જાહેર કરેલા છે. આરોપીને કેદ અને દંડની સજા કરેલ છે તેથી આમાંથી જો કોઈ પાસપોર્ટ ધરાવતા હોય તો તે તાત્કાલીક અસરથી બંધ પાડવાનો હુકમ કરેલ હોય તમામના પાસપોર્ટ બંધ પાડી અદાલતને જાણ કરશો. ઉપરાંત ફરી પાસપોર્ટ આપવાનો હુકમ ન થાય ત્યાં સુધી તમામના પાસપોર્ટ રદ કરવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર-૮ દ્વારા આ હુકમ કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments