Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં RJ કુણાલના પિતાએ આત્મહત્યા કરી, પોલીસેને લાશ પાસેથી સુસાઇડ નોટ મળી

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (13:49 IST)
સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આરજે કુણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આક્ષેપ છે. આ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિની ડેડબોડી મળી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક રેડિયો જોકે આરજે કુણાલના પિતા છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.બીજી તરફ આરજે કુણાલની પૂર્વ પત્ની ભૂમિએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી મૃતક ઈશ્વર દેસાઈની ડેડબોડી પાસે પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. માં પૂર્વ પત્ની ભૂમિના પરિવાર સામે આક્ષેપ છે. આ સમગ્ર બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ એનઆર વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમને સુસાઇડ નોટ મળી છે જેની તપાસ કરવામાં આવી રહી છે.ભૂમિ અને કુણાલના લગ્ન 24 નવેમ્બર 2015ના રોજ થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કુણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે RJ કુણાલને 9 મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments