Webdunia - Bharat's app for daily news and videos

Install App

Helath Tips - શેકેલું જીરું ખાવાથી કબજિયાત સહિતની આ બીમારીઓ પર કરી શકશો કંટ્રોલ, જાણો ક્યારે ખાવું જોઈએ ?

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (08:17 IST)
રસોડામાં રહેલો મસાલો જીરું આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી શકે છે. જીરું એન્ટીઑકિસડન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઝીંક, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો શેકેલા જીરામાં મળી આવે છે. આ વિટામિન્સની કમીને કારણે તમે ક્યારેક ઘણી ગંભીર સમસ્યાઓનો ભોગ બની જાઓ છો. પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા જેવી સમસ્યાઓમાં શેકેલા જીરાનો ઉપયોગ અને સેવન કરવામાં આવે છે. ચાલો આજે અમે તમને  જણાવીશુ કે તમે શેકેલા જીરાનું સેવન કરીને કઈ બીમારીઓમાં દૂર કરી શકો છો.
 
વાળ ખરવા થશે બંધ 
આજકાલ વાળ ખરવા ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. નાળિયેર અથવા બદામનું તેલ ગરમ કરો, તેમાં શેકેલું જીરું મિક્સ કરો અને તેને ઉકાળો. તેલનો રંગ બદલાયા બાદ તેને ગાળીને ઠંડુ કરો. શેકેલા જીરાનું તેલ માથામાં લગાવવાથી વાળ જાડા, મજબૂત અને કાળા થશે. જે લોકોને ડેન્ડ્રફની ફરિયાદ હોય તેમણે પણ આ સમસ્યાને દૂર કરવા માટે શેકેલા જીરાનો ઉપયોગ કરવો જોઈએ.
 
પેટની સમસ્યા કરે છે દૂર 
શેકેલા જીરાની તાસીર ઠંડી હોય છે તેમજ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે માનવ પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો તમને પેટમાં દુખાવો, ખેંચાવ, એસિડિટી અને ગેસની ફરિયાદ હોય તો શેકેલું જીરું ખાવ. ડિહાઈડ્રેશનથી બચવા પણ શેકેલા જીરાનું સેવન કરી શકાય છે.
 
વજન ઘટાડે 
જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું નાખીને તેમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી વજન ઓછું થાય છે. તમે શેકેલા જીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મેદસ્વીતાને કારણે વધુ પડતા પરસેવાની સમસ્યાને પણ શેકેલા જીરાનું સેવન કરવાથી દૂર કરી શકાય છે.
 
લોહીની કમી દૂર થશે
ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાથી પીડિત મહિલાઓ જો શેકેલા જીરાનું સેવન કરે તો શરીરમાં રેડ બ્લડ સેલ્સની માત્રા વધે છે. શેકેલું જીરું આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments