Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢની લેબોરેટરીમાં આગ, કોઇ જાનહાનિ નહી, ફાયરટીમ ઘટનાસ્થળે પહોંચી

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (09:24 IST)
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આગની ઘટનાઓના બનવા વધી ગયા છે. ત્યારે આજેજૂનાગઢની એસઆરએલ લેબમાં આગની ઘટના સર્જાઇ હતી. હોસ્પિટલની પાસે આવેલી લેબોરેટરીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાં પાસે આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી દર્દીઓને હટાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના દ્રારકાધીશ માર્કેટમાં આવેલી એસએલઆર લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે લેબની બાજુમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ તેનો ધૂમાડો નજીકમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તત્કાલ ત્યાં સારવાર લઈ રહેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, હોમગાર્ડ જવાન અને 108ની ટીમે આ દર્દીઓને સલામત બહાર કાઢી લીધા હતા. 
 
સમયસૂચકતાના લીધે હોસ્પિટલમાંથી 10 દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આગની ઘટના વિશે માહિતી મળતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments