Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top News : 'પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે'

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (11:17 IST)
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ 'એઆરવાય' ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે.
અલીએ કહ્યું, "ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે."
અલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ કેવી રીતે રમ્યું તે બધાને ખબર છે.
જ્યારે બસીતને આ મુદ્દા પર વિગતવાર પ્રકાશ પાડવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ (ભારત) કેવી રીતે રમતની યોજના બનાવે છે તેની કોઈને જાણ નથી.
વધુમાં તેમણે કહ્યું, "પાકિસ્તાને માત્ર તેની ન્યૂઝીલૅન્ડ સાથેની આગામી મૅચમાં ધ્યાન આપવું જોઈએ."

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments