Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (08:36 IST)
જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી.
ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં.
તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં ટેલિફોન અને મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
આ આગેવાનોએ જણાવ્યું કે તેમની ગૃહ મંત્રી સાથેની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી. તેમણે સુરક્ષા, વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ કાશ્મીરને એવો પ્રદેશ બનાવવા માગે છે જ્યાં એક પણ વ્યક્તિને સુરક્ષાની જરૂર પડે નહીં.
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments