Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ

Webdunia
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:30 IST)
આખા રાજ્યમાં ચકચાર મચાવનારા 2003માં અમદાવાદમાં થયેલા બીજલ જોશી દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા દિલ્હીના આરોપી સજલ જૈન સહીત પાંચને સુપ્રીમ કોર્ટે છોડી મુકવાનો આદેશ કર્યો છે. 31 ડિસેમ્બર 2003ની રાત્રે બીજલ જોશી પર પાંચ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સામુહિક બળાત્કારની ઘટના બાદ બીજલ જોશીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલે પોલીસે સજલ જૈન સહીત પાંચ આરોપીઓને બળાત્કાર અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો લગાવી અમદવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. પરંતુ સાક્ષીઓના નિવેદન અને પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તેમજ બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જોકે, સજલ જૈને ગુજરાત હાઇકોર્ટમાં સજા ઘટાડવાની માંગણી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments