Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના નાગરિકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકશેઃ નીતિન પટેલ

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (18:51 IST)
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છેકે, અમદાવાદમાં જે નાગરિકોને લાગતુ હોય કે તેમને કોરોના શંકાસ્પદ છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રાઈવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, અત્ચારસુધી નાગરિકો માત્ર સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા, તેના બદલે હવે એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે નાગરિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય અને તેના ટેસ્ટ કરાવવાની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો પોતાનો ટેસ્ટ કરાવી શકશે. જેની જાણકારી જે તે ડોક્ટરે મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે.

આ નિર્ણય આવતીકાલથી લાગૂ પડશે. નીતિન પટેલે જણાવ્યું છેકે,  અમદાવાદમાં એમડી સ્પેશિયાલિસ્ટ સહિતના 1400 જેટલા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે. ઘણા નાગરીકો આ ડોક્ટરો પાસે કન્સલ્ટિંગ માટે જાય છે. તેમના દ્વારા ટેસ્ટ કરવાની ભલામણ કરાવવામાં આવે તો સોલા, સિવિલ કે અર્બન હેલ્થ કેરોમાં જવું પડતું હતું. ગઇકાલે કોર ગ્રુપે નિર્ણય કર્યો છેકે, અમદાવાદમાં 1400 જેટલા ડોક્ટરો પાસે કોઇપણ નાગરીક પોતાની શારીરિક ચકાસણી જાય અને જો એ ડોક્ટરને એવું લાગે કે તેમનામાં કોરોનાના શંકાસ્પદના લક્ષણો છે તો તેવા વ્યક્તિ ડોક્ટરની ભલામણાના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવી શકશે. ટેસ્ટનો રિપોર્ટ જો પોઝિટિવ આવશે તો અત્યારે સરકાર તરફથી પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જે સુવિધા કરવામાં આવી છે ત્યાં આ નાગરિકોની સારવાર કરવામાં આવશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments