Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોટાદ ઝેરી દારૂ કાંડમાં ગૃહવિભાગની મોટી કાર્યવાહીઃ SP કરણરાજ વાઘેલાની બદલી, 2 DYSP સહિત અનેક પોલીસકર્મી સસપેન્ડ

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2022 (11:49 IST)
બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગે કાર્યવાહી કરી છે. તાત્કાલિક ધોરણે બોટાદના એસ.પી. કરણરાજ વાઘેલા  અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી.વીરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.સાથે જ બોટાદ DYSP એસ કે.ત્રિવેદી અને ધોળકા DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા વિરૂદ્ધ પણ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.ઉપરાંત ધંધુકા PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરીને ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે. બોટાદ ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments