Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરલની જાણીતી રેસીપી - માલાબાર પરાઠા

Webdunia
મંગળવાર, 28 જૂન 2016 (17:24 IST)
ફરવા માટે કેરલ એક સારા સ્થળ તરીકે તો ઓળખાય જ છે. પણ શુ તમે ત્યાના માલાબાર પરાઠા કયારેય ખાધા છે. તો આજે ઘરે આનંદ ઉઠાવો માલાબાર પરાઠાનો .. 
3 કપ મેંદો સારી ક્વોલિટીનો, 2 ચમચી ઘી, 1 ઈંડુ, અડધો કપ દૂધ, 1 ચમચી ખાંડ, જરૂર મુજબ તેલ. 
 
બનાવવાની રીત - એક બાઉલમાં મેંદો, ઘી, દૂધ, ખાંડ, મીઠુ, ઈંડુ અને હલકુ તેલ લઈને જરૂર જેટલુ પાણી નાખીને લોટ બાંધી લો.  તૈયાર લોટને ભીના કપડાંથી ઢાંકીને 15 મિનિટ સુધી રાખી મુકો.  હવે લોટના લૂવા બનાવી લો. એક પ્લેટમાં તેલ લો અને લૂવાને તેમા નાખીને થોડી વાર માટે બીજી વાર કપડાથી ઢાંકી દો. 
 
વણવા માટે લાકડી કે પત્થરનો બેસ લો અને પછી તેની પર તેલ લગાવો અને લોઈથી રોટલી વણી લો. આ પરાઠા થોડો મોટા આકારના બનશે તો તમે સ્લેબ પર પણ તેને વણી શકો છો. હવે લૂઆને હળવા હાથથી થોડુ વણી લો અને પછી તેમાં ઘી લગાવો. તેમા એક સાઈડથી કટ લગાવો જે સેંટર પૉઈંટ સુધી જવુ જોઈએ. હવે તેને ફેરવીને ભમરડા જેવો આકાર આપો. 
 
તેને હળવા હાથે વણી લો. આ રીતે પરાઠામાં પરત સારી બનશે.  ગેસ પર તવો ગરમ કરો. તેના પર પરાઠો નાખો અને તેને એક બાજુ સેકાયા પછી પલટી લો. હવે સેકેલા ભાગ પર તેલ લગાવીને પલટો અને બીજી સાઈટ પર પણ સેકી લો.  જ્યારે બંને તરફથી સેંકાય જાય ત્યારે પ્લેટમાં ઉતારીને હાથ વડે હળવો દબાવી લો. ધ્યાન રાખો આવુ કરતી વખતે તમારે તેની કિનારોને એક સાથે જોડવાની છે.  લો તૈયાર છે ગરમા ગરમ માલાબાર પરાઠાં. આ પરાઠાં ચટણી કે કોરમા સાથે સર્વ કરો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments