Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારા ઘરના પૂજાઘરમાં નથી આ 5 વસ્તુઓ તો પૂજાનુ ફળ નહી મળે

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (06:08 IST)
હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. જેને કારણે મંદિર વગેરેના કપાટ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.  જેને કારણે દરેક ઘરે બેસીને જ પ્રભુને પ્રસન્ન કરવામાં લાગ્યા  છે.  છતા ઘણાને લાગે છે કે ઘરમાં પૂજા કરવી અને મંદિરમાં પૂજા કરવામાં અંતર છે. કારણ કે મંદિરમાં જે વસ્તુઓ હોય છે તે ઘરમાં હોતી નથી.  તમારુ આવુ વિચારવુ ખોટુ નથી. .. તો આ માટે શુ કરવુ જોઈએ. આવામાં વાસ્તુ શાસ્ત્ર મદદરૂપ છે. વાસ્તુમાં પૂજા સાથે જોડાયેલ એવી વાતો બતાવવમાં આવી છે જે તમારી માટે ઉપયોગી સાબિત થશે. તેનાથી પૂજા પણ સફળ થશે અને ઈશ્વર પણ તમારી પર પ્રસન્ન થઈને તમને બમણુ ફળ આપશે.  
 
તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કંઈ કંઈ વસ્તુઓ હોવી જોઈએ. 
 
લોટામાં પાણી -  દરેકે એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે ઘરના પૂજા ઘરમાં તાંબાના લોટામાં જળ અને તુલસી મિક્સ કરી રાખો.  અને સવાર સાંજ પૂજા પછી આ જળને પરિવારના બધા સભ્યોમાં વિતરિત કરો.  અને પોતે પણ તેનુ સેવન કરો.  રોજ તાજુ પાણી ભરીને મુકો. 
 
ચંદન - ઘરના મંદિરામાં ચંદન હોવુ ખૂબ જરૂરી છે.  શાસ્ત્રો મુજબ  ચંદન શાંતિ  અને શીતળતા પ્રદાન કરે છે. અને તેની મનમોહક ખુશ્બુ ઘરમાં સકારાત્મકતા પેદા કરે છે. 
 
અક્ષત -  અક્ષત એટલે  ચોખાના દાણા. ઘરના મંદિરમાં ચોખા પણ હોવા જોઈએ. ધ્યાન રઆખો તેમાથી એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ.  માન્યતા છે કે તેને સંપન્નતાનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
તાજા ફુલ - હિન્દુ શાસ્ત્રો મુજબ દેવી-દેવતાઓને પુષ્પ વધુ પ્રિય હોય છે. તેથી રોજ તેમની સમક્ષ ફુલ અર્પિત કરવા જોઈએ. આ સાથે જ પૂજા ઘરમાં કંકુ હોવુ પણ જરૂરી છે. કંકુને ચોખા એટલે કે ચોખાની સાથે માથા પર લગાવવામાં આવે છે. 
 
ઘંટી - ઘરના મંદિરમાં ઘંટી જરૂર હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યા રોજ ઘંટીનો પ્રયોગ કરવામાં આવે છે ત્યાનુ વાતાવરણ સારુ રહે છે. કારણ કે તેના ધ્વનિથી નકારાત્મકતા દૂર થાય છે. 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments