Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે છઠ મહાપર્વ શરૂ, જરૂર શામેલ કરો આ 5 વસ્તુઓ

31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે છઠ મહાપર્વ શરૂ, જરૂર શામેલ કરો આ 5 વસ્તુઓ
, બુધવાર, 30 ઑક્ટોબર 2019 (17:42 IST)
દિવાળીના 6 દિવસ પછી છઠ પર્વ ઉજવાય છે. છઠ પૂજામાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરાય છે. છઠનો પર્વ આ વખતે 2 નવેમ્બરને છે પણ 31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે આ તહેવારની શરૂઆત થઈ જશે. આ પર્વ કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી થી સપ્તમી સુધી ચાલે છે. 4 દિવસ સુધી ચાલતા આ પર્વના પ્રથમ દિવસે નહાય ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે ડૂબતા સૂર્યની પૂજા અને પછી અંતિમ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપે છે. છઠી મઈયાને 
 
પ્રસન્ન કરવા માટે પૂજામાં ઘણી વસ્તુઓને શામેલ કરાય છે. તેમાં 5 વસ્તુઓ એવી હોય છે જેના વગર છઠ પૂજા નહી માનીએ. આવો જાણી છઠ પૂજામાં શામેલ આ વસ્તુઓ છે... 
 
- છઠ પૂજામાં વાસથી બનેલી ટોપલાનો ખાસ મહત્વ હોય છે. તેમાં છઠ પૂજાનો સંપૂર્ણ સામાન છઠ પૂજા સ્થળ સુધી લઈને જાય છે અને તેને છઠી મઈયાને ભેંટ કરાય છે. 
 
- બીજી વસ્તુ હોય છે ઠેકુઆ. ગોળ અને ઘઉંના લોટથી બનેલો ઠેકુઆ છઠ પર્વના મુખ્ય પ્રસાદ હોય છે. તેના વગર પૂજા અધૂરી ગણાય છે. 
 
- શેરડી છઠ પૂજામાં પ્રયોગ કરાતી મુખ્ય સામગ્રી હોય છે. શેરડીથી ઘાટ પર ઘર પણ બનાવીએ છે. 
 
- છઠ પૂજામાં કેળાના પ્રસાદ વગર પૂજા અધૂરી ગણાય છે. છઠમાં કેળાના આખો ગુચ્છો છઠી મઈયાને ભેંટ કરાય છે. 
 
- નારિયેળ સૌથી શુભ ફળ ગણાય છે. દરેક શુભ કાર્ય અને પૂજામાં તેનો પ્રયોગ કરાય છે. તેથી છઠ પૂજામાં તેનો ખાસ મહત્વ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો છઠ પર્વની 14 ખાસ વાતો