Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આવુ કરશો તો કોઈની સામે નહી ફેલાવવો પડે હાથ

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2017 (15:12 IST)
પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ક્યારેક ભારે પડી શકે છે. ધનને બચાવીને નથી રાખતા તો અચાનક કોઈ વિષમ પરિસ્થિતિમાં તમે પરેશાનીમાં પડી શકો છો. બીજા સામે હાથ ફેલાવવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનાથી તમે ધન અર્જિત અને સંચય કરવામાં સફળ થઈ શકો છો.  
 
સૌથી પહેલીવાત ઘરમાં બનાવેલ ભોજન ક્યારેય બરબાદ ન થવુ જોઈએ. જે ઘરમાં કંકાસ રહે છે ત્યા લક્ષ્મી માતાની કૃપા થતી નથી. ઘરમાં તુલસીનો છોડ લગાવો. રોજ સાંજે તુલસી પાસે ઘી નો દીવો ચોક્કસ પ્રગટાવો. સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન વગેરેથી પરવારીને ભગવાનને ભોગ લગાવ્યા પછી જ અન્ન ગ્રહણ કરો. 
 
પથારી પર બેસીને ભોજન ન કરો. ઘરના દરવાજા અને બારીઓને સજાવીને સાફ રાખો. તમારા ઘરને જાંબળી કે ગ્રે કલરથી પેંટ કરાવો.  બેડરૂમના દરવાજાની સામેવાળી દિવાલના ડાબા ખૂણા પર ધાતુની કોઈ વસ્તુ લટકાવી દો.  ધન મુકવાના સ્થાન પર લાલ કપડુ પાથરી દો. 
 
તિજોરી કે જ્યા ધન મુકતા હોય તેને દક્ષિણ દિશાની દિવાલથી ટેકીને એ રીતે મુકો કે તિજોરીનુ મોઢી ઉત્તર દિશા તરફ રહે. કોઈની પણ પાસેથી કોઈ વસ્તુ મફત ન લો. તેની કિમંત જરૂર ચુકવો.  કોઈને દગો આપીને ધન કમાવવાથી પણ લક્ષ્મી માતા રિસાય જાય છે.  તમારી આવકનો અમુક ભાગ ધાર્મિક કાર્યમાં જરૂર લગાવો. દાન કરતા રહો. ઘરમાં મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને સજાવેલુ રાખવુ જોઈએ .  ઘરના મુખ્ય દ્વાર પાસે ગણેશજીની તસ્વીર લગાવો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments