Dharma Sangrah

Vastu For Kitchen - રસોડામાં આ વસ્તુઓ ખતમ થશે તો નહી આવે બરકત

Webdunia
શુક્રવાર, 13 મે 2022 (00:46 IST)
રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેને વાસ્તુ મુજબ ઘરની બરકત એટલે કે સમૃદ્ધિ માટે ઓળખવામાં આવે છે. આ વસ્તુઓને અન્નપૂર્ણાનુ સ્વરૂપ માનવામાં આવે છે. આખા ઘરનો મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં પૈસા અને અનાજની કયારેય કમી ન રહે પણ રસોડામં રહેલી કેટલીક વસ્તુઓ સમાપ્તિ થતા માતા લક્ષ્મી રિસાય જાય છે. જેને કારણે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ આવી કેટલીક વસ્તુઓ વિશે.. 
 
લોટ - ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા મહત્વપૂર્ણ અનાજમાં  લોટ પણ છે. વાસ્તુ મુજબ  જો રસોડામાં લોટ ખલાસ થઈ જાય તો તેનો પ્રભાવ વ્યક્તિના માન સન્માન પર પડે છે. ઘર-પરિવાર, સંબંધીઓ અને કામ કરવાના સ્થાન પર પણ વ્યક્તિના સન્માનમાં કમી આવે છે. માન્યતા મુજબ ક્યારેય પણ લોટના ડબ્બાને એકદમ ખાલી ન થવા દો. 
 
ચોખા - લોટની જેમ ચોખા પણ રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા અનાજમાંથી એક છે. એવુ માનવામાં આવે છે કે ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જો તમારા રસોડામાં ચોખા ખલાસ થઈ જાય તો શુક્રનો પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. માન્યતા મુજબ તમારા ઘરના મંદિરમાં પણ ચોખા જરૂર મુકવા જોઈએ. જો રસોડામાં ચોખા ખલાસ થઈ જાય તો તમારા ઘરની સુખ-શાંતિમાં પ્રભાવ પડી શકે છે. 
 
હળદર - હળદરનુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ બતાવ્યુ છે. રસોઈ બનાવવા ઉપરાંત પૂજા પાઠમાં પણ તેનો ઉપયોગ થાય છે. હળદરનો સંબંધ ગુરૂ સાથે માનવામાં આવે છે. હળદરને ક્યારેય પણ એકદમ ખલાસ ન થવા દેવી જોઈએ. તેનાથી તમને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે.  જો તમારા ઘરમાં હળદર ખલાસ થઈ ગઈ હોય તો કોઈની પાસેથી ઉધાર માંગીને પણ ન લાવશો. 
 
મીઠુ - મીઠુ તમારા કિચનનો સ્વાદ વધારવા ઉપરાંત પણ અનેક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મીઠાની કમીને કારણે તમારા રસોડામાં નકારાત્મકતાનો વાસ રહે છે. તેની કમીથી તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે અને તમને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે કોઈની પાસેથી મીઠુ લો છો તો તેને પૈસા જરૂર આપો. મીઠુ ક્યારેય પણ ઉધાર ન લેવુ. 
 
દૂધ - દૂધ પણ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવનારી મહત્વપૂર્ણ વસ્તુ છે. જો તમારા ઘરમાં મહેમાનોના આવવા પર દૂધ ખલાસ થઈ જાય તો તેને મહેમાનોનો અનાદર સમજવામાં આવે છે. તેનાથી તમને વાસ્તુ દોષ લાગી શકે છે. તેથી ઘર પર ક્યારેય દૂધ ખલાસ ન થવા દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

12 ફેબ્રુઆરીએ ભારત બંધ: શાળાઓથી લઈને બેંકો સુધી, શું ખુલશે અને શું બંધ રહેશે, સંપૂર્ણ વિગતો અહીં

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ: જબરજસ્ત ઉથલપાથલ, ઈંગ્લેન્ડને મોટું નુકશાન, વેસ્ટ ઈન્ડિઝ ટોપ પર

કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.

મહિલા ગાયબ, સાપની ચામડી પાછળ છોડી ગઈ: ઉત્તર પ્રદેશના ગામથી ભાગી જવાથી સાપનો ડર ફેલાયો

આગળનો લેખ
Show comments