Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્ર - ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

Webdunia
મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય. 

- ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

- ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

- ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

- બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

- પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

- ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments