Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (11:04 IST)
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો.  સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા સરસ્વતીને પીળા અને સફેદ ફુલ અર્પિત કરો. 
 
- મા સરસ્વતીના ચિત્રને અભ્યાસ કક્ષમાં મુકો. આ દિવસે બાળકોની જીભ પર મધથી ૐ બનાવવો જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી બાળકો જ્ઞાનવાન થાય છે. છ મહિના પૂરા કરી ચુકેલ બાળકોને અન્નનો પહેલો કોળિયો પણ આ દિવસે ખવડાવવામાં આવે છે. 
- વિદ્યાર્થી આ દિવસે પોતાના પુસ્તકો પર પીળુ કવર લગાવીને તેના પર કંકુથી સ્વસ્તિક અંકિત કરે. 
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો. 
- માત પિતા બાળકોને ખોળામાં લઈને બેસે. બાળકોના હાથથી શ્રીગણેશને ફૂલ અર્પિત કરી અક્ષરનો અભ્યાસ કરાવે. 
- સરસ્વતી પૂજન પછી પૂજામાં ઉપયોગમાં લેવાયેલ હળદરને કપડામાં બાંધીને બાળકના હાથ પર બાંધી દો. શીરો કે કેસરવાળી ખીરનો પ્રસાદ અર્પિત કરો. 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments