Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ

વસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ
, રવિવાર, 26 જાન્યુઆરી 2020 (07:14 IST)
આ વર્ષે 29 જાન્યુઆરી 2020 સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે. આવો જાણીએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરીએ આ દિવસે... 
* આ પૂજા વસંત પંચમી પર ખાસ રૂપથી કરવી જો ન કરી શકો તો કોઈ પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરી શકાય છે 
* વસંત પંચમીના શુભ મૂહૂર્તમાં કોઈ ખાસ સ્થાન કે મંદિરમાં પૂર્વ દિશાની તરફ મૉઢું કરીને બેસવું. 
* તમારી સામે લાકડીના બાજોટ રાખો. બાજોટ પર સફેદ વસ્ત્ર પથરાવી અને તેના પર સરસ્વતી દેવીનો ચિત્ર લગાડો. 
* તે બાજોટ પર એક તાંબાની થાળી મૂકો. જો તાંબાની થાળી ન હોય તો તમે બીજું પાત્ર રાખો. 
* આ થાળીમાં કંકુ કે કેસરથી રંગાયેલા ચોખાના એક ઢગલું લગાવો. 
* હવે આ ચોખાની ઢગલા પર પ્રાણ પ્રતિષ્ઠિત અને ચેતનાયુકત શુભ મૂહૂર્તમાં સિદ્ધ કરેલ સરસ્વતી યંત્ર સ્થાપિત કરવું. 
* ત્યારબાદ સરસ્વતીને પંચામૃતથી સ્નાન કરાવો. સૌથી પહેલા દૂધથી કરાવો, પછી દહીંથી, પછી ઘીથી સ્નાન કરાવો. ફરી ખાંડથી પછે મધથી સ્નાન કરાવો. 
- કેસર અને કંકુઅથી યંત્ર અને ફોટા પર ચાંદલા કરો. 
- ત્યારબાદ દૂધથી બનેલા નૈવેદ્યના ભોગ અર્પિત કરવું. 
- હવે આંખ બંદ કરી માતા સરસ્વતીનો ધ્યાન કરો અને સરસ્વતી માળાથી નીચે  લખેલું  મંત્રની 11 માળા મંત્રનો જાપ કરવું 
ૐ શ્રી એં વાગ્વાહિની ભગવતી 
સન્મુખ ન્વાસિની 
સરસ્વતે મમાસ્યે પ્રકાશં 
કુરૂ કુરૂ સ્વાહા 
* સમાપ્તિ પર માતા સરસ્વતીથી બાળકો માટે ઋદ્ધિ સિદ્ધી, વિદ્યાવર્જન, તીવ્ર સ્મરણ શક્તિ માટે પ્રાર્થના કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમાવસ્યા પર જાણો 5 કામની વાત