Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - કોઈપણ વ્યક્તિ પર જરૂર કરતા વધુ ખર્ચ ન કરો જાણો કારણ

Webdunia
રવિવાર, 7 નવેમ્બર 2021 (10:00 IST)
આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં અનેક નીતિઓનુ વર્ણન કર્યુ છે, જે આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. એવુ કહેવાય છે કે આ નીતિઓને અપનાવનારો વ્યક્તિ સફળ થાય છે. એક નીતિમાં આચાર્ય ચાણક્ય બતાવે છે કે વ્યક્તિએ કંઈ બે વસ્તુઓ વધુ ખર્ચ ન કરવી જોઈએ. નહી તો લોકો તમારુ મહત્વ નહી સમજે. 
 
ચાણક્યના કહેવાનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ પર આદર અને સમય વઘુ ખર્ચ ન કરવો જોઇએ. તમે આ બે વસ્તુનોને કોઈપણ વ્યક્તિ પર વધુ ખર્ચ કરવાનું શરૂ કરવા માંડશો તો તેની નજરમાં તમારું મહત્વ ઓછું થઈ જશે. બની શકે કે થોડા સમય માટે તમને એવું ન લાગે, પરંતુ થોડા સમય પછી તમને તેનો અહેસાસ થશે. તેથી જો તમે કોઈના પર પણ તમારા પૈસા અને સમય વધુ ખર્ચ કરો છો, તો તમારી આ આદતને બદલી નાખો. 
 
કહેવાય છે કે ઘણી વખત વ્યક્તિ કોઈની સાથે મોહના બંધનમાં બંધાય જાય છે અને તેની સાથે તેની જરૂર કરતા વધુ સમય વિતાવે છે. મોહના બંધનમાં બંધાયેલ વ્યક્તિ સામેની વ્યક્તિને જરૂર કરતાં વધારે સમય આપવાનું શરૂ કરે છે. ઘણીવાર લોકોના સ્વભાવમાં પણ બદલાય જાય છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ સાથે મોહના બંધનમાં બંધાતા પહેલા ધ્યાન રાખો કે આવનારા સમયમાં તમને નુકસાન ન થાય. તેથી જ આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જરૂર કરતા વધુ ન જોડાવવુ જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments