Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: ચાણક્યની આ વાતોમાં છુપાયો છે જીવનમાં સફળતાનો મંત્ર, આજથી જ અપનાવો આ આદતો

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (07:34 IST)
આચાર્ય ચાણક્યએ જીવનમાં સફળતા મેળવવા માટે 5 મૂલ મંત્ર આપ્યા છે. તેણે પોતાની નીતિમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં આગળ વધવા માંગે છે તો તેણે આ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ, જેને અપનાવીને સફળતાની સીડી ચડી શકાય છે.
 
Chanakya Niti: ભારતમાં આચાર્ય ચાણક્યને મહાન ગુરુનો દરજ્જો છે. આજે પણ લોકો તેમના કાર્યદક્ષ નેતૃત્વની પ્રશંસા કરે છે. તેઓ એક મહાન રાજકારણી, વ્યૂહરચનાકાર, રાજદ્વારી તેમજ અર્થશાસ્ત્રના મહાન નિષ્ણાત હતા. આજે પણ લોકો ચાણક્યની નીતિઓ દ્વારા તેમની સમસ્યાઓનું સમાધાન શોધે છે.તેમણે આપેલી નીતિઓમાં લોકો આજે પણ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે. જેને અપનાવવાથી લોકોને તેમની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
 
જીવનમાં ક્યારે અને કેવી આફત આવશે તેની કોઈને ખબર નથી. પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે ચાણક્યએ તેના માટે કેટલાક રામબાણ ઉપાયો સૂચવ્યા છે. જો કોઈ તેના જીવનમાં આનું પાલન કરે તો તે તમામ સમસ્યાઓનો સામનો કરી શકે છે. આચાર્ય ચાણક્ય મનુષ્યને 5 આદતો અપનાવવાનું સૂચન કરે છે. જે જીવનમાં સફળતાની ચાવી તરીકે કામ કરે છે. ચાલો જાણીએ કઈ છે તે 5 આદતો જે ચાણક્ય કહે છે.
 
તમારી નબળાઈ કોઈને કહેશો નહીં
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાની નબળાઈ ક્યારેય કોઈને ન જણાવવી જોઈએ. આ રહસ્ય જાહેર કરીને અન્ય વ્યક્તિ તમારા પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. જો તમે તમારી નબળાઈ જાહેર કરો છો તો કોઈપણ તમારા પર પ્રભુત્વ મેળવી શકે છે. તમારી નબળાઈ વિશે બીજાને જણાવવું એ તમારો સૌથી મોટો દુશ્મન છે. કારણ કે જો કોઈને તક મળે તો તમને કોર્નર કરી શકે છે.
 
તમારું લક્ષ્ય કોઈને બતાવવું  જોઈએ નહીં
ચાણક્ય કહે છે કે ધ્યેય માટે પ્રતિબદ્ધ રહેવું યોગ્ય છે પરંતુ તમારે તમારા લક્ષ્ય વિશે ક્યારેય કોઈને કહેવું જોઈએ નહીં. નહિંતર, વિરોધીઓ તમારા લક્ષ્યમાં અવરોધો ઉભી કરી શકે છે. જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેઓ તમારા કરેલા કામને બગાડી શકે છે. તેથી, તમારું લક્ષ્ય શાંતિપૂર્ણ રીતે પ્રાપ્ત કરવું વધુ સારું છે.
 
આંખ બંધ કરી આ  લોકો પર વિશ્વાસ ન કરો
સફળતાનું સૌથી મોટું રહસ્ય જે આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં જણાવે છે તે એ છે કે જે લોકો તમને દુઃખમાં જોઈને ખુશ થાય છે તે લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ અને તમારા મનની કોઈ વાત પણ તેમને જણાવવી જોઈએ નહીં. આવા લોકો પોતાના સ્વાર્થ માટે ગમે ત્યારે તમને નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો છેતરપિંડી કરવામાં શરમાતા નથી. જેઓ બીજાના દુ:ખમાં આનંદ લે છે તે ઝેરની જેમ ખતરનાક છે. તેથી આવા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
 
પૈસા ખર્ચ કરતા પહેલા વિચાર કરો 
ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી પણ હતા. પૈસાની બાબતમાં પણ તેમની નીતિ ઘણી આક્રમક હતી. તેમણે તેમની નીતિમાં જણાવ્યું છે કે મુશ્કેલ સમય માટે શક્ય તેટલું પૈસા બચાવવા જોઈએ અને માણસે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ. કારણ કે જીવનમાં સૌથી નબળો વ્યક્તિ એ છે જેની પાસે અપાર જ્ઞાન છે પણ તેની પાસે પૈસા નથી, તો સમાજની નજરમાં તેની કોઈ કિંમત નથી અને તે દુનિયાનો સૌથી નબળો વ્યક્તિ છે
 
મૂર્ખ સાથે ક્યારેય દલીલ કરશો નહીં
ચાણક્ય પોતાની નીતિમાં કહે છે કે મૂર્ખ વ્યક્તિ સાથે દલીલ ન કરવી જોઈએ. આ લોકો સાથે દલીલ કરવી મૂર્ખતા છે અને તેમની સાથે જોડાવું એટલે પોતાને નુકસાન પહોંચાડવું. આ સાથે, મૂર્ખ સાથે વાત કરવાથી વ્યક્તિની પોતાની છબી ખરાબ થાય છે અને આ ભવિષ્યમાં નિષ્ફળતાનું કારણ બને છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments