Biodata Maker

આ પાંચ કામ દરરોજ સવારે કરવાથી મળે છે સફળતા , સુખ સમૃદ્ધિ , અન્ન -ધન

Webdunia
સોમવાર, 13 મે 2019 (06:31 IST)
સોહામણી રાત પછી દિવસની શરૂઆત સુંદર સવારથી થાય છે. જો તમારી સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થશે. જ્યોતિષ શાસ્ત્રમાં એ માટે સિદ્ધાંત નક્કી કર્યા છે. જેથી સવારની શરુઆત કેવી રીતે કરાય તેનુ જ્ઞાન રહે.  કેટલાક લોકો સવારે ઉઠતા ભગવાનનુ નામ લેવુ પસંદ કરે છે , તો કેટલાક પોતાની હથેળીનો દર્શન કરે છે , તો કેટલાક   કોઈ એવા માણસનો ચેહરા જોવો પસંદ કરે છે જેના વિશે એવુ માનવામાં આવે છે કે તેનો ચહેરો શુભ છે. 
 
1. આપણા વડીલો કહે છે કે ઘરેથી  નીકળતા સમયે દહીં ખાય છે. કારણ કે દહીને પવિત્ર માનવામાં આવે છે. દહીંમાં એટલા ગુણો છે જેને ખાવાથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.  સાથે તન-મનમાં હકારાત્મકતાનો સંચાર થાય છે. અને નકારાત્મક શક્તિઓનો નાશ હોય છે.  કદાચ આ કારણોસર અનેક પૂજામાં પણ દહીંની હાજરી જોવા મળે છે.   
2. સવારમાં સ્નાન પછી ઘરના દેવઘરમાં કે મંદિરમાં તુલસીના પાન, ફૂલ, લાલ કપડાં સવારે અર્પિત કરો. ફળ અથવા મીઠાઈ નો ભોગ લગાવો. ધુપ-દીપ કરી પાસે બેસી તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનું 108  વાર સ્મરણ કરો. અંતે તુલસીની પૂજા કરો પછી. તુલસીના પાદડાનું સેવન કરો અને કરાવો. આવુ કરવાથી ઘણા રોગોથી બચાવ મળે છે.
3.ઘરમાં અનાજ,વસ્ત્ર અને વૈભવનો સમાવેશ કાયમ રહે એ માટે સવારે શરીરે શુદ્ધ વસ્ત્રો ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું  પાલન કરતા પવિત્ર ભાવનાથી 9 એંગલવાળો સાથિયો 90 ડિગ્રીના એંગલમાં બધા એંગલ સરખા આવે એ રીતે બનાવો. કેસરથી ,કુમકુમથી,સિન્દુરથી અને તેલના મિશ્રણ થી અનામિકા આંગળીથી બ્રહ્મ મુહુર્તમાં વિધિપૂર્વક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા નો આગમન થાય છે. સ્વાસ્તિક્માં લગભગ 1 લાખ સકારાત્મક ઉર્જાઓનો અસ્તિત્વ હોય છે.  

4. સવારે ઘરથી નીકળતા પહેલા માતા-પિતાનો આશીર્વાદ મેળવો.   સંસારમાં સૌથી અણમોલ છે. માતા-પિતાના આશીર્વાદ.  . માતા-પિતાના ચરણોમાં છે ચારધામ તીર્થ કરવાનુ ફળ. જે આશિષ તેઓ દિલથી આપે તેને ભગવાન પણ ટાળી શકતા નથી. તેમના આશીર્વાદથી આપણે સફળતા પર પહુંચી શકીએ છીએ. સનાતન ધર્મમાં માતા-પિતાની સેવાને સૌથી વધુ મહત્વ અપાયુ  છે.  પિતા પ્રસન્ન થતા બધા દેવતા પ્રસન્ન થઈ જાય છે. અને માતામાં બધા તીર્થ વિદ્યમાન છે. 
 
સવારમાં 
5. દેવઘર આસ્થાનું કેંન્દ્ર છે. શ્રદ્ધાળુ લોકો પોતાના ઘરમાં કોઈ એક નાનકડો ખૂણો પૂજા માટે નક્કી કરી લે. શ્રી રૂપોને રાખવા જગ્યાની કમી હોય તો એક દીવાલ પર કેલેંડર લટકાવી એને  મંદિર તરીકે કામમાં લઈ શકો છો. ઘરેથી નીકળતા પહેલા ઘરના દેવઘરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો આવુ કરવાથી ભગવાનની કૃપા રહેશે અને દિવસ સારો જશે.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

Hindu Baby Girl Names DH letter: ભારતીય સંસ્કૃતિમાં, બાળકનું નામ ફક્ત એક ઓળખ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વ, મૂલ્યો અને ભવિષ્યનું પ્રતિબિંબ પણ છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં, જ્યોતિષ, મૂળાક્ષરો અને આધ્યા

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

આગળનો લેખ
Show comments