Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મમાં શા માટે હોય છે દાહ સંસ્કાર વિધિ

Webdunia
બુધવાર, 11 એપ્રિલ 2018 (08:24 IST)
હિન્દુ ધર્મમાં જો સોળ સંસ્કારોની વાત કરવામાં આવે તો આ સંસ્કાર ગર્ભધારણથી લઈને મૃત્યુ પછી સુધી નિભાવવામાં આવે છે. સનાતન ધર્મ મુજબ સોળ સંસ્કારોમાં મૃતક વ્યક્તિના શરીરને સ્નાન કરાવવામાં આવે છે જેથી તેને શુદ્ધ કરી શકાય. 
 
સ્નાન કરાવ્યા પછી વૈદિક મંત્રોનુ ઉચ્ચારણ કરી શબની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી મૃત વ્યક્તિનો મોટો પુત્ર અથવા તો કોઈ નિકટ સંબંધી તેને મુખાગ્નિ આપે છે.  એવુ કહેવાય છે કે જો મૃતક વ્યક્તિને તેના પરિવારના સભ્યોના હાથેથી મુખાગ્નિ મળે તો તેનો પોતાના પરિવારના સભ્યો સાથે જે મોહ હોય છે તે ખતમ થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ આ શરીરના રચનાની વાત કરવામાં આવે તો શરીરની રચના પંચ તત્વથી થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે મૃતક વ્યક્તિના શરીરનો દાહ સંસ્કાર કરવામાં આવે છે તો તે એ જ પંચતત્વોમાં વિલીન થઈ જાય છે. શબના દાહ સંસ્કાર વિશે એવુ માનવામાં આવે છેકે વ્યવ્હારિક દ્રષ્ટિથી પણ શબ દાહ સંસ્કારનું મહત્વ છે. શબને દફનાવવાથી શરીરમાં અનેકવાર કીડા લાગી જાય છે. બીજી બાજુ શબને દફનાવવાથી એ જમીન બેકાર થઈ જાય છે અને કોઈ બીજા કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાતી નથી. શબના દાહ સંસ્કાર વિશે કહેવાય છે કે મૃતકની અસ્થિયો ગંગામાં વિસર્જિત કરવી જોઈએ. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments