Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબી પુલ દુર્ઘટનામાં અસલી ગુનેગારો સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? રાહુલ ગાંધી

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2022 (16:09 IST)
ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.
 
તેમણે કહ્યું હતું કે, “મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે સત્તારૂઢ ભાજપ સાથે તેમના સારા સંબંધ છે.”
 
 
તેમણે કહ્યું હતું કે, “સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ અસલી ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.”
 
રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે, “અહીં મોરબી દુર્ઘટના ઘટી હતી, એ સમયે પત્રકારોએ મને પૂછ્યું કે આ વિશે તમે શું વિચારો છો? મેં કહ્યું, લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ કોઈ રાજકીય મુદ્દો નથી, તેથી હું તેના પર કંઈ જ કહીશ નહીં. પરંતુ આજે સવાલ એ ઊઠે છે કે, આ ઘટના સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જે લોકો આ ઘટના માટે જવાબદાર હતા તેમની સામે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી?”
 
સોમવારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments