Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આકરા જળસંકટ વચ્ચે રાજકોટમાં લાખો લીટર પાણી નદીમાં વહી ગયું

ગુજરાતમાં આકરા જળસંકટ વચ્ચે રાજકોટમાં લાખો લીટર પાણી નદીમાં વહી ગયું
Webdunia
શુક્રવાર, 17 મે 2019 (14:35 IST)
હાલમાં ઉનાળામાં આખું ગુજરાત જળકટોકટીની વેદનાને સહન કરી રહ્યું છે. ખેડૂતોને ખેતી માટે તો લોકોને પીવા માટે પાણીના ફાંફાં મારવા પડ્યાં છે. એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીના પોકારોને લીધે માલધારીઓને તેમના પશુઓ માટે પાણીની હાંલાકી સહન કરવી પડી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ માઝા મુકી છે. સરકાર પાણી પુરુ પાડવા માટે મોટી ગુલબાંગો મારી રહી છે અને ટેન્કર રાજમાં જાહેરમાં પાણીની લૂંટ થતી દેખાય છે ત્યારે આવા જળસંકટ વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ પણ ચર્ચાએ ચડ્યો છે. 
પ્રાપ્ત વિગતો પ્રામણે રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું. એક તરફ પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પમ્પિગ બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે. લાખો લીટર પાણીના વેડફાટથી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે. કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણી વહીં જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાકમાં રિપેરિંગ થઇ જશે તેવો દાવો કર્યો છે. પરંતુ આ દાવા વચ્ચે હજુ અધિકારીઓ ઘટનાસ્થળે પણ પહોંચ્યા નથી. અધિકારીઓ આવે ત્યારબાદ રિપેરિંગની કામગીરી હાથ ધરાઇ તેવું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments