Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકાસ ગાંડો થયો છે'ના મુદ્દે હાઈકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:09 IST)
ગુજરાતમાં સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો થયો છે' નું કેમ્પેન ભાજપને ભારે પડી રહ્યું છે. આ મુદ્દા પર ગુજરાતના ભાજપના નેતાઓએ પણ આડેધડ જવાબો આપ્યાં છે. ત્યારે સમગ્ર ઘટનાચક્રથી ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ નારાજ થયાં છે. તેમણે ગુજરાત ભાજપના ટોચના ત્રણેય નેતાઓની ઝાટકણી પણ કાઢી છે. ભૂતકાળમાં કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાત ભાજપનાં નેતાઓને એવી શિખામણ આપી હતી કે તમામે કોઇપણ પ્રશ્નના ગમે તેટલા જવાબો આપવાના નથી. ભાજપે જે 'એજન્ડા' નક્કી કર્યો છે તેને ધ્યાનમાં રાખીને જવાબો આપવાના છે. પરંતુ છેલ્લાં બે મહિના દરમિયાન સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો, રઘવાયો થયો છે'ના મુદ્દે ભાજપની જોરદાર ફિરકી લેવાઇ રહી છે. વિકાસ ગાંડો થયો છે'ના મુદ્દે ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા રીએક્શન અપાયા હતા જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આથી આ અંગે ગુજરાતમાંથી જ તેના ક્લિપીંગો દિલ્હી હાઇકમાન્ડને મોકલી ધ્યાન દોરાયું હતું. સૂત્રો જણાવે છે કે ખાસ કરીને અરૃણ જેટલીએ આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે. એવી ચર્ચા પણ છે કે તેઓએ 'વિકાસ ગાંડો થયો છે'નાં મુદ્દે ટોચના ત્રણેય નેતાઓ અને પ્રદેશ પ્રવક્તાને આખરી ઝાટકણી કાઢ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. વિકાસ'ના મુદ્દાએ હેન્ડલ કરવામાં ભાજપની ગુજરાતની નેતાગીરી નિષ્ફળ ગઇ છે. આટલા ઝડપી સમયમાં વિકાસ ગાંડો થયો છે'ના વાક્યએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી કે જેટલીએ ફરીથી ભાજપની કેડરને સલાહ આપી છે કે વિકાસના મુદ્દે તમ નેગેટીવ કોમેન્ટ ના કરો પરંતુ તમારી સિદ્ધીઓને રચનાત્મક રીતે સોશિયલ મિડિયામાં મૂકો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

આગળનો લેખ
Show comments