Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડું: સુરક્ષાને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની બસોની સેવા ત્રણ દિવસ માટે રદ

Webdunia
બુધવાર, 12 જૂન 2019 (17:50 IST)
રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની સંભવિત વ્યાપક અને વિનાશક અસરને ખાળવા માટે તથા અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા તા.૧૨/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ દરમિયાન રદ કરવાનો નિર્ણય કરાયો છે, એમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
 
યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેની નાગરિકોએ નોંધ લઇને સહકાર આપવા નિગમ દ્વારા વિનંતી કરાઇ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments