Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વરસાદી પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:37 IST)
વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતનું નિર્માણ થયું હતું. જોકે મોડી રાત બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. 
જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. 
આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. આજે સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે. 
વડોદરા રેલવે સ્ટેશન અને બસ ડેપોમાં ફસાયેલા લોકોને આજે પણ આર્મીની ટીમ દ્વારા બહાર કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાંથી લોકોને કાલાઘોડા સુધી આર્મીની ટીમ મૂકી ગઇ હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments