Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજારમાં વેચાણ માટે મુકેલો ખાતરનો જથ્થો પરત ખેંચાશે, વેચાણ અચોક્કસ મુદત માટે બંધ

Webdunia
સોમવાર, 13 મે 2019 (11:37 IST)
ખેડૂતોને વિતરણ થતા ડીએપી ખાતરની બેંગ્સમાં વજન ઓછું હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે રાજય સરકારે જ દરમિયાનગીરી કરીને ખાતરનું વેચાણ શનિ-રવિ એમ બે દિવસ બંધ કરાવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ વજન ઓછું હોવાનું બહાર આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલો તમામ જથ્થો પાછો ખેંચવાનું નક્કી કર્યુ છે. જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે. મગફળી,તુવેરકાંડ અને હવે ખાતરની બેંગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા સરકારને તાત્કાલિક તપાસ હાથ ધરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યું હતું. કોંગ્રેસના3 ધારાસભ્યોએ વિતરણ કેન્દ્ર પર જ જનતા રેડ કરીને વજન કરતા 50 કિલોની એક બેગ્સમાં 300થી900 ગ્રામ જેટલું વજન ઓછું આવતું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે ગુજરાત સરકારે તા. 11 અને 12 મે,2019ના શનિ-રવિવાર દરમિયાન ડીએપી ખાતરનું વેચાણ બંધ કરીને તમામ જથ્થાનું વજન વિડીયોગ્રાફી મારફત કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સોમવારથી પુન:વેચાણ કરવાની જાહેરાત કરી હતી. 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments