Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ધોતી-ઝભ્ભો ડ્રેસ કોડ અને ઋષિકુમારોનાં નામ પરથી ટીમનાં નામ

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (18:10 IST)
રાજકોટમાં એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે કે જેમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી થઈ રહી છે. ધોતી ઝભ્ભામાં રમતા ખેલાડીઓ નજરે પડી રહ્યા છે અને ટીમના નામ ઋષિકુમારો પરથી રખવામાં આવ્યા છે. આ પ્રકારનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યમાં પહેલીવાર થઈ રહ્યુ છે. 

રાજકોટમાં એક એવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે કે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ ન કરી હોય. ગુજરાત રાજ્યમાં પહેલીવાર કર્મકાંડી બ્રાહ્મણો માટે એક અલગ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ટુર્નામેન્ટમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સ્પર્ધક ટી-સર્ટ ટ્રાઉઝરમાં નહી પણ ધોતી ઝભ્ભા પહેરીને ક્રિકેટ રમે છે. આ ઉપરાંત ક્રિકેટ કોમેન્ટરી પણ ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીની જગ્યાએ સંસ્કૃતમાં કરવામાં આવે છે. જો કોઈ બેટ્સમેન ચોગ્ગો કે છગ્ગો ફટકારે ત્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

આ ટુર્નામેન્ટમાં જુદા જુદા શહેરોના કર્મકાંડી બ્રાહ્મણોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ 8 ટીમો વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક-એક મેચ રમશે. જે જીતશે તે ટીમ બીજા દિવસે પહેલા સેમી ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમશે.ગુજરાતમાં આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર પાસે રુદ્રશક્તિ ગ્રાઉન્ટ પર કરવામાં આવી રહ્યુ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવામાં આવ્યા છે. આ આઠ ટીમો વચ્ચે રમાઈ રહેલી ટુર્નામેન્ટનું નામ વેદનારાયણ કપ રાખવામાં આવ્યુ છે.

સામાન્ય રિતે ક્રિકેટની ટુર્નામેન્ટમાં કોઈ બેટ્સમેન ચોગ્ગો કે છગ્ગો ફટકારે તો ડીજે પર ફિલ્મી ગીતો વાગે છે અને કા તો અલગ પ્રકારની ધુન વગાડવામાં આવે છે પણ રાજકોટની આ ટુર્નામેન્ટમાં ચોગ્ગા કે છગ્ગા વખતે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ પર અલગ જ માહોલનો અહેસાસ થાય છે. રાજકોટમાં બે દિવસ સુધી ચાલનારી ખાસ વેદનારાયણ ટુર્નામેન્ટમાં ટીમના નામ પણ ખાસ છે. આ ટીમોના નામ ઋષિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં આઠ ટીમોને જુદા જુદા ઋષિઓના નામ પરથી ટીમોના નામ અપાયા છે.વૈદિક મંત્રોચાર અને સંસ્કૃતમાં કોમેન્ટ્રી થતી હોય તેવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ટી-શર્ટ કે ટાઉઝર નહીં પણ ભારતીય પંરપરા મુજબના ધોતી અને ઝભ્ભાના પહેરવેશ પહેરીને ક્રિકેટ રમે છે. ક્રિકેટના મેદાનમાં કદાચ આ પહેલીવાર હશે કે ક્રિકેટ ટીમના ખેલાડી ધોતી કુર્તા પહેરીને મેચ રમી રહ્યા હોય. 
વેદનારાયણ ટુર્નામેન્ટની આઠ ટીમ
ટીમના નામ ટીમના માલિક
ભારદ્રાજ ઇલેવન 
શાસ્ત્રી વિજય જોષી
વિશ્વામિત્ર ઇલેવન
શાસ્ત્રી હરીશ ભોગાયતા
અત્રિ ઇલેવન
શાસ્ત્રી હિરેન જોષી
શાંડિલ્ય ઇલેવન
શાસ્ત્રી ગોપાલ જાની
વશિષ્ઠ ઇલેવન
શાસ્ત્રી હિરેન ત્રિવેદી
જમદગ્નિ ઇલેવન
શાસ્ત્રી અસિત જાની
કશ્યપ ઇલેવન
શાસ્ત્રી જસ્મીન જોષી
ગૌતમ ઇલેવન
 શાસ્ત્રી જયેશ પંડ્યા

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments