Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવવામાં આવેલી બે છોકરીના થયા લગ્ન, મોરારી બાપૂએ કર્યું કન્યાદાન

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2019 (11:35 IST)
મુંબઇના રેડ લાઇટ એરિયા કમાઠીપુરામાંથી મુક્ત કરવામાં આવેલી સેક્સ વર્કરોને ગુજરાતના ભાવનગર સ્થિત રામકથા વાચક મોરારી બાપૂના આશ્રમમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. મોરારિબાપૂએ પોતે બંને યુવતિઓનું કન્યાદાન કર્યું હતું. તમને જણાવી દઇએ કે મોરારી બાપૂ ગત ડિસેમ્બરમાં કમાઠીપુરા ગયા હતા જ્યાં તેમણે દેશભરના સેક્સ વર્કરોને નવ દિવસની રામકથા માટે અયોધ્યા બોલાવ્યા હતા. અહીં મોરારી બાપૂએ પોતે તુલસીદાસની માનસ ગણિકાનો પાઠ કર્યો હતો જે તુલસીદાસની વેશ્યાઓ સાથે વાતચીત પર આધરિત છે. 
 
ત્યારબાદ મોરારી બાપૂએ પોતાના સમર્થકોને એનજીઓ દ્વારા છોડાવવામાં આવેલી સેક્સ વર્કરોના પુનર્વાસ માટે પૈસા દાન કરવાની અપીલ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી મોરારીબાપુના સમર્થકોએ 6.5 કરોડ રૂપિયા એકથા કર્યા અને દેશના 6 એનજીઓને સોંપી દીધા જે સેક્સ વર્કરોના રેસ્ક્યૂ અને પુનર્વાસ માટે કામ કરે છે. કાંદિવલીના એક રેસ્ક્યૂ ફાઉન્ડેશનને 51 લાખ આપ્યા હતા. ત્યારબાદ ફાઉન્ડેશને આ બંને સેક્સવર્કરોને છોડાવી હતી. 
 
20 થી 22 વર્ષની આ યુવતિઓના લગ્ન જામનગર અને રાજકોટના બે યુવકો સાથે બાપુના તલગાજરડા સ્થિત આશ્રમમાં કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન વર વધૂના પરિવાર સાથે લગભગ 100 મહેમાન જોડાયા હતા. પોતાના સંબોધનમાં મોરીરાબાપુએ કમાઠીપુરાના પ્રવાસ અને અયોધ્યામાં રામ કથાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રામ કથા દરમિયાન મેં કહ્યું હતું કે જે છોકરીઓ આ ધંધા સાથે જોડાયેલી છે અને લગ્ન કરવા માંગે છે તો યોગ્ય વર મળતાં તેમને અવસર આપવામાં આવશે અને આશ્રમ તેમાં પુરી રીતે મદદ કરશે. 
 
મોરારી બાપુએ આગળ કહ્યું હતું કે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં માનસ ગણિકાના પાઠ બાદ અમે આ બે છોકરીઓના અહીં તલગાજરડામાં લગ્ન કરાવ્યા. હું છોકરા અને તેમના પરિવારની પ્રશંસા કરું છું કે જેમણે આ છોકરીઓને અપનાવી. આમ કરવા માટે મહાન સાહસ જોઇએ. 
 
મોરારી બાપુએ કહ્યું કે જ્યારે હું કમાઠીપુરામાં આ છોકરીઓને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમારા પિતાજી તમને મળવા આવ્યા છે. તમારું નવું ઘર તલગાજરડા છે. દર વર્ષે તમે તમારા પિતાને મળવા આવજો અને તમારું સન્માન સાથે સ્વાગત થશે. કન્યાદાન દરમિયાન મેં છોકરીઓને કહ્યું હતું કે હવે તેમની જવાબદારી વધી ગઇ છે. આ મોરારી બાપુની પુત્રીઓ છે, આ તલગાજરડાની છોકરીઓ છે. તેમનું ધ્યાન રાખવું અને પુરતું સન્માન આપવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેદારેશ્વર મહાદેવનું મંદિર

અભિનેત્રી મમતા કુલકર્ણી ફિલ્મ અભિનેત્રી બનવા માંગતી ન હતી

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

આગળનો લેખ