Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં આંગડીયા કર્મચારીને માર મારીને લૂંટારાઓ બેગ લઇને ફરાર

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (09:53 IST)
કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડથી સુરત જતા આંગડિયા પેઢીના કર્મચારીને 5 જેટલા ઈસમો ધારદાર હથિયાર વડે માથાના ભાગે ઈજા પહોંચાડી કર્મચારી પાસે રાખેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા. વલસાડ ખાતે રહેતા પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત વલસાડ ખાતે આવેલ અમરત કાંતિલાલ એન્ડ કુ.માં આંગડિયા પેઢીમાં વલસાડથી સુરત આંગડિયા માટે ડિલિવરીમેનનું કામ કરે છે. જે મંગળવારની રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જવા માટે જનરલ ડબ્બામાં બેસ્યા હતા. 
 
આ દરમિયાન તેમની નજીક જ ડબ્બામાં દરવાજા પાસે પાંચેક ઈસમો ઉભા હતા. જેમાંથી ત્રણ ઈસમો પ્રવિણસિંહની પાસે આવી બેગને ઝુટવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને માથાના ભાગે ઈજા કરી તેમની પાસે રાખેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પ્રવિણસિંહ રાજપૂત ને માથાના ભાગે ઈજા થતા ટ્રેન નવસારીમાં આવતા તેમાંથી ઉતારી ને પ્રાથમિક સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને પગલે રેલવે પોલીસ ના ડીવાયએસપી સહિતના લોકો નવસારી ધસી આવી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments