Festival Posters

ગાંધીધામ-તિરૂનેલવેલી વચ્ચે હમસફર એક્સપ્રેસનો પ્રારંભ

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (12:21 IST)
અમદાવાદ, રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ગાંધીધામ તથા તિરૂનેલવેલી વચ્ચે નવી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રેન નં.09424 ગાંધીધામ - તિરૂનેલવેલી હમસફર એક્સપ્રેસ 05 જુલાઈ 2018(ગુરૂવાર)ના રોજ સવારે 10.00 કલાકે ગાધીધામથી ઉપડશે તથા શનિવારે 07. જુલાઇ ના રોજ  સવારે 09.30 કલાકે તિરૂનેલવેલી પહોંચશે. 
આ નવી ટ્રેન નો શુભારંભ ભારત સરકારના રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાંઇ દ્ધારા ગાંધીધામ સ્ટેશન પર આયોજિત સમારભમાં પ્રસ્થાન સંકેત આપીને કરાવ્યો હતો. 
     નિયમિત સેવા તરીકે ટ્રેન ન. 19424 ગાંધીધામ-તિરૂનેલવેલી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ તારીખ 16.જુલાઈ 2018 થી દર સોમવારે 13.50 કલાકે ગાંધીધામથી ઉપડીને દર બુધવારે 11.30 કલાકે તિરૂનેલવેલી પહોચશે. 
    પરતમાં ટ્રેન ન. 19423 તિરૂનેલવેલી- ગાંધીધામ સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ તારીખ 19.જુલાઈથી દર ગુરુવારે 07.45 કલાકે તિરૂનેલવેલીથી ઉપડીને દર શનિવારે સવારે 05.45 કલાકે ગાંધીધામ પહોચશે. 
    આ ટ્રેન માં બધા જ  હમસફર શ્રેણીના થર્ડ એસી કોચ તથા પેંટ્રી કાર કોચ રહેશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, વસઇ રોડ, પનવેલ, રત્નાગિરી, મડગાવ, કારવાર,મેંગલોર,કોઝિકોડ, શોરાનુર, એર્નાકુલમ તથા તિરુવનંતપુરમ સ્ટેશનો પર રોકશે. 
    ટ્રેન ન. 19424 ગાંધીધામ-તિરૂનેલવેલી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસનું આરક્ષણ તમામ કોમ્પુટરાઈઝડ પ્રવાસી આરક્ષણ કેન્દ્રો તથા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી 05.જુલાઈ 2018થી પ્રારંભ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments