rashifal-2026

વડગામ તાલુકાના ડાલવાણામાં આજે મુસ્લિમ બિરાદરો મંદિરે રોઝા ખોલશે

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (11:09 IST)
વડગામ તાલુકાના ડાલવાણાં ગામમાં કયારેય કોમવાદની સ્થિતિ સર્જાઈ નથી. આ ગામમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાય ના પવિત્ર રમઝાન માસમાં ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને શુક્રવારે સાંજે ગામમાં આવેલા પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમી એકતાને વધુ મજબૂત બનાવવાનો એક આવરકર દાયક કાર્યક્રમ યોજાનાર છે.ડાલવાણા ગામમાં કોમીએકતા વર્ષોથી અકબંધ છે. જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાનની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમોના તહેવારોમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. ગામમાં મોહરમ અને નવરાત્રીનો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવે છે.આજે શુક્રવારે વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ગામાનાં હિંદુ મંદિરોના સંચાલન માટે કાર્યરત શ્રીડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ડાલવાણા ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને ગામના પ્રસિદ્ધ શ્રી વારંદા વિર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજમ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડશે.ડાલવાણા ગામમાં શુક્રવારે મુસ્લિમ બિરાદરો ગામના શ્રી વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલશે અને મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરશે. આ ઉપરાંત મુસ્લિમ અગ્રણી વારંદા વિર મહારાજની આરતી પણ ઉતારશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

શિયાળાના બપોરના ભોજન માટે સ્વાદિષ્ટ 'લસણ મેથી' નું શાક બનાવો, સ્વાદ એવો છે કે તમે પનીર નું શાક ભૂલી જશો, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

Dharmendra: આ અભિનેત્રીઓ સાથે રહી ધર્મેન્દ્દ્રના અફેયરની ચર્ચા, એક એક્ટ્રેસે તો હેમા માલિની સામે કહી દીધી હતી પોતાના મનની વાત

આગળનો લેખ
Show comments