Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિક્ષાચાલકે 18 હજાર રૂપિયાનો ટ્રાફિક મેમો મળવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

The rickshaw driver attempted suicide after receiving a traffic memo of Rs 18
Webdunia
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:19 IST)
ગુજરાત સરકારએ નવો મોટર વ્હિકલ ઍક્ટ લાગુ થયા બાદ રાજ્યના નાગરિકોને દંડની રકમમાં રાહત આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારે નિયમોને લાગુ કરવાની સમયસીમા 15 ઑક્ટોબર સુધી લંબાવી દીધી હતી. જેના કારણે રાજ્યના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રિક્ષાચાલકને 18 હજાર રૂપિયાનો મેમો મળતાં તેણે ચિંતામાં ને ચિંતામાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઑટોરિક્ષા ચાલક રાજુ સોલંકીને 18 હજાર રૂપિયાનો મૅમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક તાણ અનુભવતા તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસે આ ઘટના પારિવારિક કારણોસર બની હોવાનું જણાવ્યું છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય રાજુભાઈ સોલંકી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને ટ્રાફિક પોલીસ એ રોકીને દસ્તાવેજોની તપાસ કરી હતી. જેમાં કેટલાક દસ્તાવેજ ખૂટતાં પેનલ્ટી રૂપે 18 હજારનો મૅમો આપ્યો હતો. મૅમો મળ્યા બાદ રાજુ સોલંકી ખૂબ જ ચિંતામાં રહેતો હતો. એક સાથે 18 હજાર રૂપિયા દંડ પેટે કેવી રીતે ભરીશ તેની મૂંઝવણ તેને સતાવી રહી હતી. આ ચિંતામાં જ તણે ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, મૅમોને કારણે નહીં પરંતુ પારિવારિક પ્રશ્નોને કારણે રિક્ષાચાલકને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments