Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગની આગાહી, આવનારા 5 દિવસ તાપમાન 44 ડિગ્રી વટાવી શકે છે

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (11:33 IST)
હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર આજે અથવા આવતીકાલે તાપમાન 44ને વટાવી શકે છે.  આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે  હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.
 
રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી નાગરિકોએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. હીટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૂકા પવનોને કારણે રાજ્યમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.  બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની વધુ અસર વર્તાશે. બે દિવસ બાદ એટલે કે 27 એપ્રિલથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે,  તો અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે.  અમદાવાદમાં ગરમીનું તાપમાન ગઈકાલે 43 ડિગ્રીએ પહોંચ્યું હતું.  મહત્વનું છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગે  દરેક જનતાને અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments