Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટેલા ચાર ગુજરાતીઓના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરાશે

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2023 (15:27 IST)
ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મહેસાણાના માણેકપુરા ગામના એકજ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા છે. આ મૃતકોના પરિવારજનોએ એમના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિવારના બે સભ્યો કેનેડા જશે અને તેમને તાત્કાલિક વિઝા અને જરૂરી સહાય મળે તે માટે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાળાએ વિદેશમંત્રી એસ જયશંકરને લેખિતમાં રૂબરૂ મળીને રજૂઆત કરી છે.

વિદેશ મંત્રાલયે પણ આ માટે જરૂરી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.માણેકપુરામાં રહેતા પ્રવિણભાઈ ચૌધરી, તેમના પત્ની દક્ષાબેન, પુત્ર મિત ચૌધરી અને પુત્રી વિધી ચૌધરી બે મહિના પહેલા વિઝીટર વિઝા પર કેનેડા ફરવા ગયા હતા. આ દરમિયાન કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર જવા માટે તેઓ 31 માર્ચના રોજ એક્વાસાસ્ને વિસ્તારની સેન્ટ લોરેન્સ નદીમાં બોટમાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન બોટ પલટી જતા તમામના મોતના સમાચાર આવ્યા હતા. તેમના મોતથી પરિવારમાં આઘાતનું મોજૂ ફરી વળ્યું હતું. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના અલગ અલગ બનાવમાં અત્યાર સુધી નવ ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છે.માણેકપુરાના ચૌધરી પરિવારના આ ચાર સભ્યોની ઓળખ થઈ ગયા બાદ પરિવાર મૃતદેહને પરત લાવવા માંગતો હતો. પરંતુ મૃતદેહોને પરત લાવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોવાથી સૌલોકોની સહમતીથી તેઓના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવાનો પરિવારે નિર્ણય કર્યો હતો.આ માટે પીડિત પરિવારને જરૂરી તમામ મદદ મળી રહે તેમાટે ચૌધરી સમાજના આગેવાનોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. એક તરફ ગેરકાયદેસર અમેરિકામાં આ લોકોને લઈ જવા માટે લાખ રૂપિયાની ડિલ થઈ હોવાની વાત પણ સામે આવી છે. પોલીસ તપાસમાં વધારે વિગતો બહાર આવશે તેવું માનવમાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments