Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંસદના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં આરોપી મહાઠગ કિરણ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2023 (13:17 IST)
The court rejected the bail application of accused thug Kiran Patel

મહાઠગ કિરણ પટેલે મોરબીના વેપારી સાથે ઠગાઈ અને સાંસદના ભાઈનું ઘર પચાવી પાડવાના કેસમાં અનુક્રમે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સિટી કોર્ટમાં 30 દિવસની વચગાળાની જામીન અરજી મૂકી હતી. જેમાં ગ્રામ્ય કોર્ટમાં કરેલ અરજી પેન્ડિંગ છે. ત્યારે સિટી સેશન્સ અને સિવિલ કોર્ટે સાંસદના ભાઈ સાથે ઠગાઇના કેસમાં આરોપી કિરણ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.

આરોપી સામે સાંસદના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં DCB ખાતે IPCની કલમ 406, 420, 170, 120B વગેરે અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી સામે સોલા, વડોદરા, નરોડા અને બાયડ પોલીસમથકે ફરિયાદ નોંધાયેલ છે. આરોપીએ જામીન અરજીમાં દર્શાવ્યું હતું કે આરોપીના પરિવારમાં તે એક જ કમાનાર વ્યક્તિ છે. તે ગરીબ છે અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેની બંને દીકરીઓની ફી ભરવા પૈસાની જરૂર છે.આરોપીએ 35 લાખથી વધુની કિંમતે રિનોવેટ કરવાના બહાના હેઠળ સાંસદના ભાઈના ઘર ઉપર દાવો માંડ્યો હતો. આ કેસમાં આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીને પરત ખેંચી હતી. પોલીસે આરોપીના જામીન વિરુદ્ધ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી ગુના કરવાની ટેવવાળો છે. જામીન મળે તો ભાગી જાય તેમ છે. તેની પત્ની માલિનીને જામીન મળી ચૂક્યા છે જે આર્થિક વ્યવસ્થા કરવા સક્ષમ છે. સગા અને મિત્રો પાસેથી પૈસા લેવા આરોપીની જરૂર નથી.સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ઉધાર પૈસા લેવા આરોપીના જામીન જરૂરી નથી. આ જામીન માટેનું વાજબી કારણ નથી. જજ હેમાંગ પટેલની કોર્ટે આરોપીના જામીન નકારી નાખતા આરોપીને ટ્રાયલમાં સહકાર આપવા અને ઝડપી ટ્રાયલ ચલાવવા આદેશ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments